Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: નશાકારક દવાઓના દુર-ઉપયોગને અટકાવવા માટેનો જન-જાગૃતિ કાર્યક્રમ ગઈ તા.23-12-2023ના રોજ હોટલ રોયલસેલ્‍ટર ખાતે આયોજીત થયો હતો. આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન વાપી કેમિસ્‍ટ અને ડ્રગીસ્‍ટ એસોસિએશન તરફથી કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપી શહેર, વાપી ગ્રામ્‍ય, ઉમરગામ, સરીગામ, ભીલાડ અને ઉદવાડાના કેમિસ્‍ટ એન્‍ડ ડ્રગીસ્‍ટ વેપારીગણ હાજર રહ્યા હતા. આ જાગૃતિ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં મદદનીશ કમિશ્‍નર ડો.એ.એચ. ઝાલા, નશાબંધી વિભાગનાં પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટરશ્રી ડોડીયા, એસ.ઓ.જી. પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી રાઠોડ તથા અન્‍ય અધિકારી હાજર રહ્યા હતા. તેઓએ નશા-મુક્‍ત-ભારત અભિયાન હેઠળ, દવાઓનો દુરઉપયોગ ન થાય તે હેતુથી ઉંડાણપૂર્વક સમજ-સલાહ આપી નશા-મુક્‍ત-ભારત અભિયાન હેઠળ વાપી કેમિસ્‍ટ અને ડ્રગીસ્‍ટ એસોસિએશનનાં હોદ્દેદારો અને સભ્‍યોએ સાથ-સહકારથી નશાનું દુષણ ડામી દેવા તત્‍પર રહેશે તેવી બાહેંધરી વ્‍યક્‍ત કરી હતી.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

વહીવટદાર કરણજીત વાડોદરિયાના અધ્‍યક્ષસ્‍થાને દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી 7મી વાર્ષિક સામાન્‍ય સભા

vartmanpravah

ધોધમાર વરસાદથી નવસારી જિલ્લા પંચાયત વિભાગના 64 રસ્‍તાઓ બંધ

vartmanpravah

ઉમરગામ તાલુકાની સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્‍ત શિક્ષણ અને સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓનીદયનીય હાલત

vartmanpravah

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

vartmanpravah

Leave a Comment