October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

વાપી ટ્રાન્‍સપોર્ટ એસો.ના પ્રમુખ ભરતભાઈ ઠક્કર અને હોદ્દેદારોની મળેલી મિટિંગમાં નવા કાયદા અંગે સમિક્ષા કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: તાજેતરના ચોમાસુ સંસદીય સત્રમાં ગૃહમંત્રાલય દ્વારા અનેક જુના કાયદાઓ રદ્દ કરી નવેસરથી નવા કાયદા ઘડવામાં આવ્‍યા હતા. જેમાં રોડ અકસ્‍માત બાદ ડ્રાઈવર વાહન છોડી ભાગી જાય તે માટે કડક સજા અને જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. ડ્રાઈવરો માટે ઘડાયેલા નવા કાયદાના દેશભરમાં ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે શુક્રવારે વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન વી.ટી.એ ઓફીસમાં મળેલી હોદ્દેદારોની મિટિંગમાં નવા કાયદાને વખોડી નાખવામાં આવ્‍યો હતો.
વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશનની પ્રમુખ ભરતભાઈ ઠક્કરની આગેવાનીમાં આજે વી.ટી.એ.માં મિટિંગ યોજાઈ હતી. જેમાં સંસદમાં અકસ્‍માત બાદ ડ્રાઈવર સ્‍થળેથી ભાગી જાય તેવા સંજોગમાં ડ્રાઈવરને કડક સજા જેલ અને દંડની જોગવાઈનો પણ કાયદો બનાવાયો છે. આ કાયદાનો ટ્રાન્‍સપોર્ટરોએ વિરોધ કર્યો હતો. કારણ કે અકસ્‍માત બદ્દઈરાદાથી કરાતો નથી. પરંતુ થઈ જતો હોય છે. તેવા સંજોગોમાં લોકો ડ્રાઈવરોને માર મારતા હોય છે તેથી ડરથી ડ્રાઈવર વાહન છોડી ભાગી જતા હોય છે. તેઓ અસલામત હોય છે. આવાસંજોગોમાં નવા કાયદામાં ડ્રાઈવરોનું હિત જોવાયુ નથી તેવું ભરતભાઈ ઠક્કરે જણાવ્‍યું હતું. અન્‍ય સમિક્ષા પણ કરાઈ હતી. ટ્રાન્‍સપોર્ટ અર્થતંત્રનું પરિબળ છે. ડ્રાઈરો નોકરી નહી કરશે તો આંખા વ્‍યવસાય ઉપર માઠી અસર પડશે.

Related posts

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

ભાજપ દ્વારા આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં આજે સેલવાસના આંબેડકર નગર ખાતે રાજ્યસભાના સાંસદ અને યુ.પી. સરકારના પૂર્વ ડી.જી.પી. બ્રીજ લાલ માર્ગદર્શન આપશે

vartmanpravah

વાપી તાલુકામાં ત્રણ પી.એચ.સી. ખાતે ટેલી હેલ્‍થ સેન્‍ટરનું ઉદ્‌ઘાટનઃ છીરી, કરવડ અનેડુંગરા ખાતે ટેલી કન્‍સલ્‍ટન્‍ટસીની સેવાઓ ઉપલબ્‍ધ બનશે

vartmanpravah

દેહરીની કંપનીમાં ભિષણ આગ: 15 જેટલા કામદારો દાઝી જતા પહોંચેલી નાની મોટી ઈજા

vartmanpravah

પાલઘરના બાળકની શ્વાસનળીમાં ફસાયેલુ સીતાફળનું બી વલસાડ સિવિલમાં ઓપરેશન કરી બહાર કઢાયુ

vartmanpravah

ખેરગામ તાલુકામાં નવા ભાવ મુજબના 5 અને જૂના મુજબના 3 મળી છેલ્લા ચાર દિવસમાં કુલ 8 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.1,70,705 લાખની આવક

vartmanpravah

Leave a Comment