July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

સંઘપ્રદેશ પ્રશાસને આંગણવાડીની પરિભાષા અને પર્યાવરણ બદલી ‘નંદઘર’માં કરેલું રૂપાંતરઃ પા પા પગલી માંડી વર્ગખંડ સુધી આવતા ભૂલકાંઓને આનંદ-કિલ્લોલ સાથે જ્ઞાન અને પૌષ્‍ટિક આહાર આપવાની કરેલી આગવી વ્‍યવસ્‍થા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શિક્ષણને પ્રોત્‍સાહન આપવાની અને શિક્ષણલક્ષી વાતાવરણ તૈયાર કરવાની કડીમાં દાદરા નગર હવેલી ખાતે કુલ 97 નવી આંગણવાડીના મકાનના નિર્માણનું કામ પ્રગતિ ઉપર છે. સંઘપ્રદેશ પ્રશાસને આંગણવાડીની પરિભાષા બદલી તમામનેનંદઘરમાં રૂપાંતરિત કરવાની શરૂ કરેલી યોજનામાં નાના બાળકોનું વર્ગખંડમાં પ્રથમ પગથિયું આનંદ-કિલ્લોલ સાથે ગમ્‍મત દ્વારા જ્ઞાન મળે અને પૌષ્‍ટિક આહાર પણ મળે તેવી શરૂ કરેલી વ્‍યવસ્‍થાની ખુબ જ સુંદર અસર પણ જોવા મળી રહી છે.
દાદરા નગર હવેલીમાં નંદઘર સપાટ જમીન ઉપર રૂા.25 લાખ અને ખાડા-ટેકરાવાળી જગ્‍યામાં રૂા.35 લાખના અંદાજીત ખર્ચથી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ નંદઘરોના કારણે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તાર દૂધની, સિંદોની, કૌંચા સહિતના ગામના બાળકોને ઘણો ફાયદો થશે. આ આંગણવાડીનું નિર્માણકાર્ય પ્રદેશમાં કાર્યરત વિવિધ ઈન્‍ડસ્‍ટ્રીઝોના કોમ્‍યુનિટી સોશિયલ રિસ્‍પોન્‍સિબ્‍લિટી(સી.એસ.આર.) હેઠળ બનાવવામાં આવનાર હોવાની પણ જાણકારી મળી છે.

Related posts

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલનુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી

vartmanpravah

પોર્ટુગીઝ શાસન સામે સૌપ્રથમ અવાજ ઉઠાવનાર દાનહમાં આદિવાસી મહિલા જતરૂબેન ધુમની 27મી પુણ્‍યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સામરવરણી ગાર્ડન સીટી સોસાયટીની સામે બસ ચાલકે બસમા જ ગળે ફાંસો લગાવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

નાની દમણ ઝાંપાબાર સ્‍થિત તનિષ્‍કા જ્‍વેલરી દુકાનમાં 90 લાખના દાગીનાની ચોરી

vartmanpravah

Leave a Comment