April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

સંઘપ્રદેશ પ્રશાસને આંગણવાડીની પરિભાષા અને પર્યાવરણ બદલી ‘નંદઘર’માં કરેલું રૂપાંતરઃ પા પા પગલી માંડી વર્ગખંડ સુધી આવતા ભૂલકાંઓને આનંદ-કિલ્લોલ સાથે જ્ઞાન અને પૌષ્‍ટિક આહાર આપવાની કરેલી આગવી વ્‍યવસ્‍થા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શિક્ષણને પ્રોત્‍સાહન આપવાની અને શિક્ષણલક્ષી વાતાવરણ તૈયાર કરવાની કડીમાં દાદરા નગર હવેલી ખાતે કુલ 97 નવી આંગણવાડીના મકાનના નિર્માણનું કામ પ્રગતિ ઉપર છે. સંઘપ્રદેશ પ્રશાસને આંગણવાડીની પરિભાષા બદલી તમામનેનંદઘરમાં રૂપાંતરિત કરવાની શરૂ કરેલી યોજનામાં નાના બાળકોનું વર્ગખંડમાં પ્રથમ પગથિયું આનંદ-કિલ્લોલ સાથે ગમ્‍મત દ્વારા જ્ઞાન મળે અને પૌષ્‍ટિક આહાર પણ મળે તેવી શરૂ કરેલી વ્‍યવસ્‍થાની ખુબ જ સુંદર અસર પણ જોવા મળી રહી છે.
દાદરા નગર હવેલીમાં નંદઘર સપાટ જમીન ઉપર રૂા.25 લાખ અને ખાડા-ટેકરાવાળી જગ્‍યામાં રૂા.35 લાખના અંદાજીત ખર્ચથી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ નંદઘરોના કારણે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તાર દૂધની, સિંદોની, કૌંચા સહિતના ગામના બાળકોને ઘણો ફાયદો થશે. આ આંગણવાડીનું નિર્માણકાર્ય પ્રદેશમાં કાર્યરત વિવિધ ઈન્‍ડસ્‍ટ્રીઝોના કોમ્‍યુનિટી સોશિયલ રિસ્‍પોન્‍સિબ્‍લિટી(સી.એસ.આર.) હેઠળ બનાવવામાં આવનાર હોવાની પણ જાણકારી મળી છે.

Related posts

વાપી ચણોદમાં રો-હાઉસ બાંધકામ પરવાનગીથી વિપરીત હોવાની રાવ

vartmanpravah

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

vartmanpravah

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની ભારત સરકારના વાણિજ્‍ય-ઉદ્યોગ મંત્રાલયની કમિટીમાં નિમણૂંક

vartmanpravah

વાપી તાલુકામાં ત્રણ પી.એચ.સી. ખાતે ટેલી હેલ્‍થ સેન્‍ટરનું ઉદ્‌ઘાટનઃ છીરી, કરવડ અનેડુંગરા ખાતે ટેલી કન્‍સલ્‍ટન્‍ટસીની સેવાઓ ઉપલબ્‍ધ બનશે

vartmanpravah

આવકવેરા વિભાગે વાપી, સરીગામ, સેલવાસ સહિતની 20 જગ્‍યાએ દરોડા પાડી 100 કરોડની બિનહિસાબી આવક ઝડપી

vartmanpravah

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

Leave a Comment