Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

સંઘપ્રદેશ પ્રશાસને આંગણવાડીની પરિભાષા અને પર્યાવરણ બદલી ‘નંદઘર’માં કરેલું રૂપાંતરઃ પા પા પગલી માંડી વર્ગખંડ સુધી આવતા ભૂલકાંઓને આનંદ-કિલ્લોલ સાથે જ્ઞાન અને પૌષ્‍ટિક આહાર આપવાની કરેલી આગવી વ્‍યવસ્‍થા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શિક્ષણને પ્રોત્‍સાહન આપવાની અને શિક્ષણલક્ષી વાતાવરણ તૈયાર કરવાની કડીમાં દાદરા નગર હવેલી ખાતે કુલ 97 નવી આંગણવાડીના મકાનના નિર્માણનું કામ પ્રગતિ ઉપર છે. સંઘપ્રદેશ પ્રશાસને આંગણવાડીની પરિભાષા બદલી તમામનેનંદઘરમાં રૂપાંતરિત કરવાની શરૂ કરેલી યોજનામાં નાના બાળકોનું વર્ગખંડમાં પ્રથમ પગથિયું આનંદ-કિલ્લોલ સાથે ગમ્‍મત દ્વારા જ્ઞાન મળે અને પૌષ્‍ટિક આહાર પણ મળે તેવી શરૂ કરેલી વ્‍યવસ્‍થાની ખુબ જ સુંદર અસર પણ જોવા મળી રહી છે.
દાદરા નગર હવેલીમાં નંદઘર સપાટ જમીન ઉપર રૂા.25 લાખ અને ખાડા-ટેકરાવાળી જગ્‍યામાં રૂા.35 લાખના અંદાજીત ખર્ચથી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ નંદઘરોના કારણે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તાર દૂધની, સિંદોની, કૌંચા સહિતના ગામના બાળકોને ઘણો ફાયદો થશે. આ આંગણવાડીનું નિર્માણકાર્ય પ્રદેશમાં કાર્યરત વિવિધ ઈન્‍ડસ્‍ટ્રીઝોના કોમ્‍યુનિટી સોશિયલ રિસ્‍પોન્‍સિબ્‍લિટી(સી.એસ.આર.) હેઠળ બનાવવામાં આવનાર હોવાની પણ જાણકારી મળી છે.

Related posts

રેડક્રોસ સોસાયટી, સેલવાસમાં યુનિયન ટેરીટરી (યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત ખાતે ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની મહિલા મંડળની બહેનો માટે મહિલા સભા યોજાઈ

vartmanpravah

દાનહ સાયલી ગામે આંગણવાડી કાર્યકર્તાઓ માટે ભેટ અને શાળાના વિદ્યાર્થીઓ માટે માસ્‍ક અને હેન્‍ડ સેનિટાઇઝર્સનું વિતરણ કરાયું

vartmanpravah

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

vartmanpravah

દૂધ ઉત્‍પાદકોને મધમાખી ઉછેર માટે પ્રોત્‍સાહિત કરવા ચીખલી વસુધારા ડેરી દ્વારા મધમાખી ઉત્‍પાદક-વેચાણ કરનાર મંડળીની સ્‍થાપના કરાઈ

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

Leave a Comment