Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા દ્વારા વિકસિતભારત સંકલ્‍પ યાત્રાના બીજા દિવસે ડુંગરા અને સુલપડમાં કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા અંતર્ગત બીજા દિવસે ડુંગરા અને સુલપડ ખાતે કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો. ડુંગરા ઝોન કચેરી પાસે, વાપીમાં સવારે 10 થી 12 દરમ્‍યાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ કશ્‍મીરાબેન શાહ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી ચેરમેન મિતેષભાઈ દેસાઇ, ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ, મામલતદારશ્રી કલ્‍પનાબેન, કાઉન્‍સીલર ઉમાબેન હળપતિ, નીલેશ રાઠોડ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દિલ્‍હીથી આવી પહોંચેલા સંકલ્‍પ યાત્રાના રથનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. મહાનુભાવોએ આયુષ્‍યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે યોજના અંગે માહિતી આપી હતી અને વધુને વધુ લોકો સરકારની આ યોજનાનો લાભ લે એ માટે અપીલ કરી હતી. આ પ્રસંગે વિવિધ યોજનાઓનો કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો અને યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે લાભનું વિતરણ થયું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 900 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્‍ય ગાથા રજૂ કરી હતી. સુલપડ પ્રાથમિક શાળા, વાપીમાં બપોરે 3થી 5 દરમ્‍યાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ કશ્‍મીરાબેન શાહ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી ચેરમેન મિતેષભાઈ દેસાઈ, નગરપાલિકાના સભ્‍યશ્રીઓ ઈન્‍દુબેન પટેલ, ગંગાબેન હળપતિ, ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ, મામલતદારશ્રી કલ્‍પનાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. મહાનુભાવોએ આયુષ્‍યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે યોજના અંગે માહિતી આપી હતી અને વધુને વધુ લોકો સરકારની આ યોજનાનો લાભ લે એ માટે અપીલ કરી હતી. આ પ્રસંગે વિવિધ યોજનાઓનો કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો અને યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે લાભનું વિતરણ થયું હતું. આ કાર્યક્રમમાં 720 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્‍ય ગાથા રજૂ કરી હતી. આભારવિધિ કારોબારી ચેરમેન મિતેષ દેસાઇએ કરી હતી.

Related posts

નવસારી જિલ્લાના વીસીઈ કર્મચારીઓની પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા ડીડીઓને આવેદનપત્ર પાઠવી હડતાલનું રણશિંગ ફૂંક્‍યું

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા યોજાયેલી ગરબાની સ્‍પર્ધા

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

દીવના ઘોઘલા બીચ ખાતે પર્યાવરણીય ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈઃ કચરાના રિસાયકલીંગ અને ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ કલા પ્રદર્શન યોજાયું

vartmanpravah

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

vartmanpravah

Leave a Comment