September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

ભીલાડ ખાતે સરપંચ સંઘના પ્રમુખ નરેન્‍દ્ર નાયકના અધ્‍યક્ષ સ્‍થાને મળેલી સરપંચોની બેઠકમાં છેલ્લા 10 વર્ષથી સાંસદની ગ્રાન્‍ટ ઉમરગામ તાલુકાને ફાળવવામાં ન આવતા હોવાનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને જોવા મળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: આજરોજ ભીલાડ ખાતે ઉમરગામ તાલુકાના સરપંચ સંઘની મળેલી બેઠકમાં વલસાડ ડાંગ સાંસદ ડો.કે. સી. પટેલનીઉમરગામ તાલુકા પ્રત્‍યે ઓરમાયું વલણ રાખવાની નીતિની ભારે ટીકા થવા પામી હતી. સરપંચ સંઘના પ્રમુખ અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના વિશ્વાસુ શ્રી નરેન્‍દ્રભાઈ નાયક તેમજ ધોડીપાડાના સરપંચ વિજયભાઈ રમણભાઈ પાટકરની હાજરી વચ્‍ચે માંડાના સરપંચ શ્રી પ્રભુભાઈ ઠાકરીયા સહિત ઉપસ્‍થિત તમામ સરપંચોએ સાંસદ ડો. કે. સી. પટેલની ઉમરગામ તાલુકા પ્રત્‍યે છેલ્લા દસ વર્ષથી અપનાવેલી ગ્રાન્‍ટ ન આપવાની નીતિનો મુદ્દો રજૂ થવા પામ્‍યો હતો. ઉપસ્‍થિત તમામ સરપંચોએ સાંસદ ડો. કે. સી. પટેલ આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદારો સમક્ષ જાવા માટે સરપંચોને આગ્રહ ન કરે એવો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. હવે નજીકના ભવિષ્‍યમાં લોકસભાની ચૂંટણી આવવાની હોય સામે આવેલો સાંસદ ડો.કે.સી.નો મુદ્દો આગામી ચૂંટણીમાં બેઠક ફાળવણી માટે રણનીતિનો એક ભાગ હોવાનું પણ આંકલન થઈ રહ્યું છે.
સરપંચ સંઘની બેઠકમાં આ ઉપરાંત પાયાની સુવિધાને લગતા પ્રશ્નો, રેશનકાર્ડ સુધારા સહિત મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારી કચેરીના તમામ પ્રશ્નોના સરળતાપૂર્વક નિકાલ થાય એવી કામગીરી સરપંચ સંઘ દ્વારા અધિકારીઓ સાથે સંકલન સાંધીને કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

Related posts

વાપી જીઆઈડીસીમાં જીંદગી જોખમાય તેવો બાઈક ઉપર સ્‍ટંટ કરનાર યુવાનને ટ્રાફીક પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

કપરાડાના લવકર ગામે પ્રાકૃતિક ફાર્મ સ્કૂલ યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝથી ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવાનો હોવાથી ત્રણ મહિના બંધ

vartmanpravah

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

આજથી ત્રણ દિવસ માટે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહના મહેમાન બનશે

vartmanpravah

કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment