June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘એક મુઠ્ઠી અનાજ, હર ઘર પોદાર, હર ઘર અનાજ’ કાર્યક્રમનું આયોજન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પોદાર વોલેન્‍ટિયર પ્રોગ્રામ’ અંતર્ગત વિદ્યાર્થીઓ પાસે જરૂરિયાતમંદોને ‘અનાજ-વિતરણ’ની મહત્ત્વપૂર્ણ કામગીરી કરાવાઈ હતી. તા.12-01-2024ને શુક્રવારનાં રોજ વિદ્યાર્થીઓને વાપી સ્‍થિત બલીઠાનાં ગરીબ વિસ્‍તારમાં લઈ જવામાં આવ્‍યા હતા. ત્‍યાં રહેતા કુટુંબો જેઓ ગરીબી રેખા હેઠળ જીવન વિતાવે છે તેમને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘અનાજ વિતરણ’નું કાર્ય કરાવવામાં આવ્‍યું હતું. આ પ્રવૃત્તિ પાછળનો મુખ્‍ય હેતુ એ હતો કે, આગામી બે દિવસોમાં મકરસંક્રાંતિ તહેવાર આવી રહ્યો છે જે દરમ્‍યાન હર એકનાં ઘરે અનાજ રહે, કોઈ ભુખ્‍યુ ન રહે અને સર્વત્ર ખુશહાલી છવાઈ એ બાબતને ધ્‍યાનમાં રાખી ‘એક મુઠ્ઠી અનાજ, હર ઘર પોદાર, હર ઘર અનાજ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ શાળાનાં આચાર્ય શ્રી અનુપમ ઉપાધ્‍યાયનાં નેતૃત્‍વ હેઠળ કરવામાં આવ્‍યો હતો.

Related posts

ધરમપુર વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિ આધિન 32 ઉપરાંત માર્ગો બંધ : ઠેર ઠેર આકાશી પ્રકોપનો નજારો

vartmanpravah

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના જીરવલ ગામની કોલક નદી પર જીવના જોખમે લોકો નદી પાર કરવા મજબૂર

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

ઉમરગામ તાલુકા માહ્યાવંશી સેવા ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

Leave a Comment