April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

અયોધ્‍યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે દમણના ‘દિલીપનગર ડેવલપમેન્‍ટ એસો.’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભક્‍તોનું ઉમટેલું ઘોડાપૂર

કળશયાત્રા, હવન, ભજન સંધ્‍યા અને મહાપ્રસાદમાં હજારો ભક્‍તોએ લીધેલો લાભઃ ડી.ડી.એ.ના ચેરમેન લખમભાઈ ટંડેલના નેતૃત્‍વમાં તમામ પદાધિકારીઓએ વ્‍યવસ્‍થાશક્‍તિનો આપેલો ઉત્તમ પરિચય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્‍ઠા કાર્યક્રમને લઈને સર્વત્ર ભક્‍તિ અને આનંદનો માહોલ છવાયો હતો. દમણમાં ભગવાન શ્રી રામના અભિષેક વિધિના કારણે સમગ્ર દિલીપનગર રામ ભક્‍તોના સરોવરમાં ગરકાવ થઈ ગયું હતું અને ઉમટેલા હજારો રામભક્‍તોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે અને તમામ કાર્યક્રમનો લાભ ખુબ જ સરળતાથી મળે તે પ્રકારના ઉત્તમ વ્‍યવસ્‍થા તંત્રનો પરિચય ડી.ડી.એ.ના ચેરમેન શ્રી લખમભાઈટંડેલના નેતૃત્‍વમાં તમામ પદાધિકારીઓએ આપ્‍યો હતો.
સવારથી જ દિલીપનગર એસોસિએશન દ્વારા ભજન કિર્તન અને રામભક્‍તો દ્વારા રામધૂન અને ભજન સંગીતના તાલે ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં યુવાનો, મહિલાઓ, બાળકો અને વડીલો પણ રામની ભક્‍તિમાં ભારે ઉત્‍સાહ સાથે તરબોળ થઈ ગયા હતા. દરમિયાન રામ ભક્‍તો ભક્‍તિભાવથી ઝૂમી ઉઠયા હતા, અને ભગવાન શ્રી રામ નામના મંત્રોચ્‍ચાર કરી સમગ્ર વાતાવરણને ભક્‍તિમય બનાવ્‍યું હતું.
નાની દમણના દિલીપનગર ખાતે શ્રી રામ મંદિર અને ભગવાન રામની ઝાંખી લોકોમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આ પ્રસંગે દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશન દ્વારા હવન, ભજન સંધ્‍યા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. દંપતિઓએ હવનમાં પ્રસાદ અર્પણ કર્યો હતો અને સુખાકારીની કામના કરી હતી.
દિલીપ નગર વિકાસ સંઘ દ્વારા શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે ભજન સંધ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી તરૂણાબેન પટેલ સહિત અગ્રણીમહિલાઓએ ભાગ લીધો હતો.

Related posts

ધરમપુર તિસ્‍કરી તલાટમાં ગેરેજમાં કામ કરતા યુવકનું બેટરી એસિડ પી જતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

પારડી જીઆઈડીસીની કલાનિધિ કંપનીમાં ભીષણ આગ લાગતાં કંપની બળીને ખાખ

vartmanpravah

દાનહ નરોલી મંડળના અધ્‍યક્ષ યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી અને સામરવરણી ગ્રા.પં.ના સરપંચો તથા પ્રતિનિધિ મંડળે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ચીખલી વિસ્‍તારમાં તાવ અને આંખના કેસોમાં થયેલો વધારો

vartmanpravah

વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્‍યાંગ બાળકોને નિઃશૂલ્‍ક ભોજન સેવાની શરૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment