Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બજરંગ દાસ બાપાના કળપા સેવક મનજી દાદાની ડાંગમાં પ્રાર્થના સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: પરમ પૂજ્‍યદેવશ્રી બજરંગ દાસ બાપાના કળપા પાત્ર સેવક અને આપણા સૌના વડીલ પૂજ્‍યશ્રી સ્‍વ.મનજી દાદાને શ્રદ્ધાંજલિ આપતાં શ્રી ગિરીશભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે સ્‍વ.મનજીદાદા ગુરુ આશ્રમ બગદાણાના મેનેજીંગ ટ્રસ્‍ટી તારીખ 15/02/2024ના ગુરુવારના રોજ પરમ શક્‍તિ પરમાત્‍મામાં વિલીન થઈ ગુરૂ ચરણ થયેલ છે. સ્‍વ.મનજીદાદાની ખોટ ડાંગના આદિવાસી સમાજને નિઃસ્‍વાર્થ સેવાભાવી ખોટ પડી છે. ડાંગ જિલ્લામાં પણ સેવાની સુવાસ પ્રગટાવતા ડાંગ દરબારના સમયે ચાર વર્ષ સુધી બાપા સીતારામનું ભંડારાનું આયોજન કરતા હતા. સ્‍વ.મનજીદાદાના આ સેવા કાર્યમાં હજારો ભાવિકો પ્રસાદ ગ્રહણ કરતા હતા. જ્‍યારે પણ દાદા આહવા ડાંગ દરબારના મેળામાં આવતા ત્‍યારે બાપા સીતારામ પરિવારના ભારતીબેન ગાયકવાડ સાથે તેઓના ખુબજ આત્‍મીય સબંધો રહ્યા હતા, જેથી સ્‍વ.મંજીદાદાની પ્રાર્થના સભાનું આયોજન આજે દંડકેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્‍યું, તેમના આત્‍માને શાંતિ મળે તે માટે ગીતાના પંદરમાં અધ્‍યાયનું વાંચન કરવામાં આવ્‍યું. સ્‍વ.મનજીદાદાના આત્‍માને સુખ શાંતિ અને મોક્ષ પ્રદાન મળે તે માટે બાપા સીતારામ પરિવાર આહવા દ્વારા મૌન પાડવામાં આવ્‍યું હતું, તથા ભજન કીર્તન કરવામાં આવ્‍યું હતું.
બાપા સીતારામ પરિવાર આહવાના ભારતીબેન ગાયકવાડ, ગૌરવ કટારે,કલ્‍યાણીબેન પારેખ, જયવંતાબેન ગાયકવાડ, સુમનબેન વાઘમારે જીગ્નેશ સોલંકી, વિજયભાઈ જોષી રેખાબેન ચૌધરી, ક્રિષ્‍ણાબેન રાઠોડ, મહેશભાઈ ખેરનાર તથા સમસ્‍ત બાપા સિતારામ પરિવાર હાજર રહ્યા હતા.

Related posts

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણના સ્‍વયંસેવકોનું રાજ્‍ય સ્‍તરની વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

વર્ષના છેલ્લા દિવસે દાદરા નગર હવેલી પોલીસ દ્વારા દારૂ પીધેલાઓને ઝડપી પાડયા

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર ચોરેલી મોટર સાયકલ સાથે વાહન ચોર આરોપી ઝડપાયો

vartmanpravah

ટુકવાડા હાઈવે ઉપર મચ્‍છરદાની, ધાબળા, ચાદર ભરેલ ગુડ્‍ઝ વાનમાંથી 90 હજારનો દારૂ ઝડપાયો

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટનો શકવર્તી ચુકાદો આમલી ખાતે રહેતા યુવાનનું ગળુ દબાવી હત્‍યા કરવાના ગુનાના આરોપીજીજ્ઞેશ ભીખા વાળંદને ફટકારેલી આજીવન કેદની સજા

vartmanpravah

સ્‍વર્ણ પદક વિજેતા આચાર્ય સંજય પંડિત દ્વારા આયોજીત ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે શિવશક્‍તિ મહાયજ્ઞમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાનીધર્મપત્‍ની સાથે લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment