Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા/ લાવવા માટે નક્કી કરાયેલા કરાર મુજબ ટેમ્‍પો ભાડું નહીં મળતાં મસાટના ટેમ્‍પો એસોસિએશન દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા અને લાવવા માટે મસાટના ટેમ્‍પો માલિકના એસોસિએશન સાથે યોગ્‍ય ભાડું મળે એ માટે નિヘતિ કરવામાં આવ્‍યું હતું. પરંતુ કેટલાક નીતિ-નિયમોની અવગણના થતી હોવાનું કારણ આગળ ધરી તંત્રએ ટેમ્‍પો ચાલકોને નક્કી કરાયેલ કરાર મુજબ વ્‍યવસ્‍થા બંધ કરી દીધી. તેથી બંધ કરાયેલા ભાડા કરારને ફરી ચાલુ કરવા આજે મસાટ ટેમ્‍પો એસોસિએશન દ્વારા સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાને રજૂઆત કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના મસાટ ગામના 60થી વધુ ટેમ્‍પો માલિકના એસોસિએશન દ્વારા ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા અને લાવવા માટે યોગ્‍ય ભાડું નક્કી કરવામાં આવ્‍યું હતું. જો થોડાક દિવસો સુધી બરાબર મળતું હતું. પરંતુ કેટલાક સમય પછી એ કરાર મુજબનું ભાડું આપવાનું બંધ કરી દીધું. આ બાબતે મસાટના ટેમ્‍પોએસોસિએશન દ્વારા આજે સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ ટેમ્‍પો એસોસિએશનના આગેવાનોને જણાવ્‍યું હતું કે તમારે સૌથી પહેલાં તમામ સરકારી નીતિ-નિયમો તથા વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે. જેમ કે, તમારા વાહનોમાં જી.પી.એસ. લગાવવું, કામના બાબતે જે ટેન્‍ડર બહાર પડે છે ભરવું જરૂરી છે. તેથી આ તમામ નિયમો અનુસર્યા બાદ જ તમોને કરાર મુજબ કામ અને ભાડું મળશે.

Related posts

કપરાડાના અંભેટી ત્રણ રસ્‍તા પર કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત : તમામ ઘાયલોને સારવાર માટે ખસેડાયા

vartmanpravah

વલસાડના રોણવેલ અને નાની સરોણ ગામે બે પ્રેમી પંખીડાઓનો મોબાઈલ ઉપર વાત થયા પછી જીવનનો અંત: પ્રેમિકાની હત્યા કરી પ્રેમીનો પણ આપઘાત

vartmanpravah

ચીખલીમાં હવામાન વિભાગની કચેરી લોલમલોલ સાથે સરકારી કેમ્‍પસ જંગલમાં તબદીલ થતાં ‘‘સ્‍વચ્‍છતા મિશન”ના ઉડી રહેલા લીરેલીરા

vartmanpravah

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

ધરમપુર ખાતે ફલેટમાંથી રૂા.22.76 લાખ મત્તાની ચોરીની તપાસમાં પોલીસને મોટી સફળતા મળીઃ બે આંતરરાજ્‍ય ચોર ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

Leave a Comment