June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા/ લાવવા માટે નક્કી કરાયેલા કરાર મુજબ ટેમ્‍પો ભાડું નહીં મળતાં મસાટના ટેમ્‍પો એસોસિએશન દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા અને લાવવા માટે મસાટના ટેમ્‍પો માલિકના એસોસિએશન સાથે યોગ્‍ય ભાડું મળે એ માટે નિヘતિ કરવામાં આવ્‍યું હતું. પરંતુ કેટલાક નીતિ-નિયમોની અવગણના થતી હોવાનું કારણ આગળ ધરી તંત્રએ ટેમ્‍પો ચાલકોને નક્કી કરાયેલ કરાર મુજબ વ્‍યવસ્‍થા બંધ કરી દીધી. તેથી બંધ કરાયેલા ભાડા કરારને ફરી ચાલુ કરવા આજે મસાટ ટેમ્‍પો એસોસિએશન દ્વારા સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાને રજૂઆત કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના મસાટ ગામના 60થી વધુ ટેમ્‍પો માલિકના એસોસિએશન દ્વારા ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા અને લાવવા માટે યોગ્‍ય ભાડું નક્કી કરવામાં આવ્‍યું હતું. જો થોડાક દિવસો સુધી બરાબર મળતું હતું. પરંતુ કેટલાક સમય પછી એ કરાર મુજબનું ભાડું આપવાનું બંધ કરી દીધું. આ બાબતે મસાટના ટેમ્‍પોએસોસિએશન દ્વારા આજે સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ ટેમ્‍પો એસોસિએશનના આગેવાનોને જણાવ્‍યું હતું કે તમારે સૌથી પહેલાં તમામ સરકારી નીતિ-નિયમો તથા વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે. જેમ કે, તમારા વાહનોમાં જી.પી.એસ. લગાવવું, કામના બાબતે જે ટેન્‍ડર બહાર પડે છે ભરવું જરૂરી છે. તેથી આ તમામ નિયમો અનુસર્યા બાદ જ તમોને કરાર મુજબ કામ અને ભાડું મળશે.

Related posts

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

vartmanpravah

ખેલ વિભાગ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય પ્રિ-સુબ્રતો ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દીવની નિર્મલા માતા સ્‍કૂલ અન્‍ડર 14 બોયઝ અને અન્‍ડર 17 બોયઝમાં ચેમ્‍પિયન

vartmanpravah

આલીપોરના વિદેશ રહેતા ખેડૂતની વડોદરા-મુંબઈ એક્‍સપ્રેસ-વેમાં સંપાદિત જમીન બોગસ પાવરના આધારે ચાઉં કરનારા સામે પોલીસે ગુનો દાખલ નહીં કરતા ઉચ્‍ચકક્ષાએ રજૂઆતનીતજવીજ

vartmanpravah

બગવાડાની ક્રીપા કંપનીમાં બ્‍લાસ્‍ટ: વેલ્‍ડીંગ કરી રહેલ મજુરનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

vartmanpravah

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment