December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમનું પરિણામ દીવઃ વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની સૈધ્‍ધાંતિક મંજૂરી

ફિશિંગ હાર્બરના નિર્માણથી દીવના માછીમારોની દશા અને દિશા બદલાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વણાંકબારા ખાતે ‘પ્રધાનમંત્રી મત્‍સ્‍યસંપદા યોજના (પીએમએમએસવાય)’ અંતર્ગત રૂા.93.17 કરોડના ખર્ચથીફિશિંગ હાર્બર બનાવવા માટે ભારત સરકારે આજે સૈધ્‍ધાંતિક મંજૂરી આપી છે.
દીવ જિલ્લાના વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની મળેલી સૈધ્‍ધાંતિક મંજૂરી બાદ આ પ્રોજેક્‍ટ આવતા દિવસોમાં પૂર્ણ થશે અને દીવ જિલ્લાના માછીમારો માટે સમૃદ્ધિના અનેક દરવાજા ખુલશે એવું આકલન પણ વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમના કારણે પ્રદેશના માછીમારોના જીવન-ધોરણને સુધારનારા અનેક મહત્‍વના નિર્ણયો લેવાયા છે. જે પૈકી વણાંકબારા ખાતે ફિશિંગ હાર્બરના નિર્માણથી આ વિસ્‍તારના માછીમારોને પોતાની મત્‍સ્‍ય સંપદાના વિતરણ વેચાણમાં પણ અનેક અનુકૂળતાઓ આવશે.
પ્રધાનમંત્રી મત્‍સ્‍યસંપદા યોજના અંતર્ગત 100 ટકા સેન્‍ટ્રલ આસિસ્‍ટન્‍સથી રૂા.93.17 કરોડના ખર્ચે દીવ જિલ્લાના વણાંકબારા ખાતે બનનારા ફિશિંગ હાર્બરથી દીવના માછીમારોની દિશા અને દશા બદલાશે એવો વિશ્વાસ પ્રગટ થઈ રહ્યો છે.

Related posts

વલસાડના વલંડી ગામમાં બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

vartmanpravah

આજે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની થનારી ‘ઔપચારિક’ ઉજવણીઃ પ્રદેશ ભાજપ નાની દમણ બસ સ્‍ટેન્‍ડે મુક્‍તિ દિવસને ‘જીવંત’ રાખવા કરશે પ્રયાસ

vartmanpravah

ચીખલી પીપલગભાણની ખરેરા નદીમાં ડૂબી જવાથી ૧૧ વર્ષીય બાળકનું મોત

vartmanpravah

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ દિલ્‍હી ખાતે આયોજીત રાષ્‍ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ઝળકાવેલું કૌવત

vartmanpravah

વાપી વી.આઈ.એ.ની 52મી એ.જી.એમ. યોજાઈ: વર્ષ 2023 થી 2026 ની ટર્મ માટે પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની વરણી

vartmanpravah

ટિકિટની કાળાબજારી કરનારાઓ પર રેલવેની લાલ આંખ, એક વર્ષમાં આટલાં લોકોની કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment