December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

મનિષ રાયની કામયાબ રણનીતિ અને માર્ગદર્શન હેઠળ તાલુકાના કદાવર નેતા નરેશ વળવી અને ભગવાન ભરવાડ સહિત મોટી સંખ્‍યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપમાં કરેલું જોડાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામતાલુકામાં કોંગ્રેસ પક્ષની હાલત નબળી બની જવા પામી છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની ગણાતી ઘડીએ સરીગામના ભાજપી આગેવાન શ્રી મનીષભાઈ રાયે લોટસ અભિયાનની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડી દીધી છે. છેલ્લા ચાર પાંચ દિવસથી ચાલી રહેલી કોંગ્રેસીઓને કેસરિયા કરવાની ગતિવિધિ આજરોજ ભીલાડ ભંડારી સમાજ હોલ ખાતે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, કપરાડા ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્‍થિતિ વચ્‍ચે પૂર્ણ થવા પામી છે. તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓને ભાજપમાં સમાવવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કદાવર નેતા શ્રી નરેશભાઈ વળવી અને શ્રી ભગવાનભાઈ ભરવાડ સહિત મોટી સંખ્‍યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. શ્રી મનીષભાઈ રાયે મોટી સંખ્‍યામાં કોંગ્રેસી નેતા સાથે કાર્યકર્તાઓને ભાજપમાં જોડી તાલુકા કક્ષાએ એક તરફી માહોલ બનાવી લીધો છે. કોંગ્રેસી કાર્યકર્તાઓને ભાજપમાં જોડાવા માટે છેલ્લા પાંચ છ દિવસથી ગતિવિધિ ચાલી રહી હતી. જેનીજવાબદારી સરીગામના આગેવાન શ્રી મનીષભાઈ રાયે સફળ પૂર્વક નિભાવતા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા તેમજ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરનું માર્ગદર્શન મેળવી કામ આગળ વધાર્યું હતું જેમાં કોંગ્રેસી કાર્યકર્તાઓને સમજાવટ બાદ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જોડે બેઠક પણ કરાવી હતી. તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓને ભાજપાની વિકાસશીલ વિચારધારા પસંદ આવતા આજરોજ સાંજના સમયે ભાજપાના આગેવાનોની હાજરી વચ્‍ચે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્‍યામા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ જવા પામ્‍યા છે.

Related posts

વલસાડ જિલ્લામાં ગાય-ભેંસ વર્ગમાં લમ્પી વાયરસના 5 શંકાસ્પદ પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ, તંત્ર એકશનમાં- તાત્કાલિક સારવારને પગલે રિકવરી આવતા રાહત

vartmanpravah

અયોધ્‍યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠાને લઈ વાપી સહિત વલસાડ જિલ્લામાં દિવાળીનો માહોલ

vartmanpravah

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દીવની પહેલ હેઠળ વણાંકબારાની સરકારી હાયર સેકન્‍ડરી ગર્લ્‍સ સ્‍કૂલમાં માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલો સમર કેમ્‍પ કાર્યક્રમ

vartmanpravah

‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા દેશભક્‍તિ ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં પહેલી વખત યોજાયો રંગોત્‍સવઃ વિદ્યાર્થીઓની કલાત્‍મક પ્રતિભા અને રચનાત્‍મકતાનો મળેલો પરિચય

vartmanpravah

Leave a Comment