Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના રાનવેરીકલ્લા – રાનવેરી ખુર્દમાં મુખ્ય માર્ગને અડીને નમી ગયેલા વીજપોલ અને ઝુલતી વીજ લાઈન જાખમી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: તાલુકાના વાંઝણા ગામેથી રાનવેરી કલ્લા અને રાનવેરી ખુર્ડને જોડતા મુખ્‍યમાર્ગને અડીને પસાર થતી વીજ લાઈનના કેટલાક થાંભલા ઘણા સમયથી નમી જતા ઘણા સ્‍થળોએ વિજલાઈન પણ ઝૂલતી થઈ જવા પામી છે. ઘણી જગ્‍યાએ વીજ લાઈન રોડને પણ ક્રોસ કરતી હોયછે. તેવામાં નમી ગયેલા વિજપોલ અને ઝુલા ખાતી વિજલાઈનને પગલે અકસ્‍માતની ભીતિ સેવાઈ રહી છે.
રાનવેરી કલ્લા રાનવેરી ખુર્ડ માર્ગ કે જે ખારેલ-રાનકુવા અને કાંગવઈ-બોડવાંક-ખરોલી માર્ગને જોડે છે. અને આ માર્ગ વાહન વ્‍યવહારથી ધમધમતો હોય છે. અને વિસ્‍તારમાં ખેતીવાડી પણ વિકસિત છે. તેવામાં વીજ કંપનીના બેદરકારી ભર્યા કારભરમાં અકસ્‍માત થવાની શકયતા નકારી શકાય તેમ નથી.
વધુમાં નમી ગયેલા વિજપોલ અને ઝુલા ખાતી વિજલાઈનને પગલે વીજપુરવઠો પણ નિયમિત મળવામાં મુશ્‍કેલી સર્જાતી હોય છે. આ માર્ગ પર ટ્રાન્‍સફોર્મરનું ફયુઝ બોક્ષ પણ ખુલ્લું જોવા મળી રહ્યું છે. તેવામાં વીજ કંપનીની સબંધિત પેટા કચેરીના અધિકારીઓ દ્વારા રાનવેરી કલ્લા રાનવેરી ખુર્ડ વિસ્‍તારમાં સર્વે કરી જ્‍યોતિ ગ્રામ અને ખેતીની વિજલાઈનનું જરૂરી સર્વે કરી તાત્‍કાલિક ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્‍યારે મરામત માટે વીજ કંપનીના અધિકારીઓને કયારે ફુરસદ મળશે તે જોવું રહ્યું.

Related posts

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞને વિરામ અપાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતેદારનું અકસ્‍માતમાં મોત નિપજતા બેંક દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પરિવારને બે લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

vartmanpravah

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

નુમા એકેડેમી દમણના ડાન્‍સ ટ્રેનર સૂરજ કુમારે ટેલીવિઝન રિયાલીટી શૉના કોરિયોગ્રાફર વૈભવ ઘુઘેના ડાન્‍સ વર્કશોપમાં લીધેલો ભાગ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત સેલવાસમાં‘ કલામૃતમ્‌’ સમર કેમ્‍પનું બાળકોની ઉત્‍કૃષ્‍ટ કલા પ્રસ્‍તૂતિ સાથે કરાયેલું સમાપન

vartmanpravah

Leave a Comment