October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલ ક્ષતિગ્રસ્ત સાયકલો અંગે તપાસ કરવા રજૂઆત

એક વર્ષ પડી રખાયેલ સાયકલ રંગ રોગાન કરી વિદ્યાર્થીઓને પધરાવી દેવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.17: આજરોજ તા.17/12/2024 ના દિને પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ક્ષતિગ્રસ્‍ત સાયકલોની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
ધરમપુર તાલુકાની સ્‍કૂલોના વિદ્યાર્થીઓને જે આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે સાયકલોનું વિતરણ કરવામાં આવ્‍યું છે એ તમામ સાયકલોને રંગારુ ગાન અને સમારકામ કરીને આપવામાં આવી રહી છે મોટી સંખ્‍યામાં આપવામાં આવેલ સાયકલો ક્ષતિગ્રસ્‍ત હોય તેના કારણે વિદ્યાર્થીઓના વાલીને એક સાયકલ પાછળ આશરે 1000 રૂપિયાથી વધારે ખર્ચ કરવા પડશે.
આજે જે વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવેલ છે એ વિદ્યાર્થીઓને સ્‍કૂલમાં ગેરહાજર બાતવવામાં આવ્‍યા છે કે કેમ અને એ વિદ્યાર્થીઓનો અભ્‍યાસ બગડ્‍યો એનું શું?
શું અહીં આદિવાસી વિસ્‍તાર ધરાવતા અને આદિવાસી બાળકો અભ્‍યાસ કરે છે એટલે આવો અન્‍યાય કરવામાં આવી રહ્યો છે.
શાળા પ્રવેશોત્‍સવના નામે સરકાર કરોડના તાઈફાઓ કરે છે અને શાળા પ્રવેશોત્‍સવ 2023 ની સાઇકલો આપવાનું જ ભૂલી ગયા અને એજ સાયકલોને કલરકામ કરીને 2024 પૂર્ણ થવાનું ત્‍યારે આપવામાં આવી એ કેટલા અંશે યોગ્‍ય.
આપવામાં આવેલ સાયકલોની ચકાસણી કરવામાં આવે અને જેના દ્વારા પણ આબેદરકારી દાખવામાં આવી છે. એમના પર શિક્ષાત્‍મક પગલાં ભરવામાં આવે ની માંગ કરવામાં આવી હતી.

Related posts

વાપી નામધા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં બજેટ નામંજુર થયું

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં એડ્‍સની જાગૃતિ માટે દાનહ અને દમણ-દીવમાં ‘રેડ રન મેરેથોન’ યોજાઈ

vartmanpravah

વાપી બગવાડા ટોલ ચેકપોસ્‍ટ ઉપર થયેલા ટોલ વધારા મામલે કેન્‍દ્રીય પરિવહન મંત્રીને રજૂઆત કરાઈ

vartmanpravah

વલસાડમાં ડુપ્‍લીકેટ તેલનો કારોબાર ઝડપાયો : શાકભાજી માર્કેટમાં ચાર દુકાનોમાંથી ડુપ્‍લીકેટ બ્રાન્‍ડેડ તેલના ડબ્‍બા મળ્‍યા

vartmanpravah

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા તથા અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ નિમિત્તે અને રક્ષાબંધનના પવિત્ર દિવસે કાંજણહરીમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 86 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

Leave a Comment