Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ઢાંકવળ અને તામછડી ગામે વન વિભાગના પ્‍લાન્‍ટેશનનો સ્‍થાનિકોનો વિરોધ

હાઈકોર્ટમાં કરાયેલ 93 દાવાઓની પ્રકિયાઓ હજુ ચાલુ છે તેથી કરાયેલ વિરોધ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: તા.14/03/2024 ના દિને ધરમપુર તાલુકાના ઢાકવળ અને તામછડી ગામે વનવિભાગ દ્વારા પ્‍લાન્‍ટેશનની કામગીરી કરવામાં આવતી હોય તે બંધ કરવા બાબતે જો જમીન સરકારી હે વો જમીન હમારી હે ના સૂત્ર સાથે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબને હારદોરા કરીને ધરમપુર પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
તામછડી ગામે કુલ 366 જેટલી દાવા અરજી કરવામાં આવી હતી તેમાંથી મંજુર થયેલ દાવા 273 સામે 366 જેટલી રિવિઝન અરજીઓ કરવામાં આવી હતી અને 93 દાવા અરજીઓની કાર્યવાહી હજી ચાલુ પ્રક્રિયામાં છે છતાં પાલનન્‍ટેસન કરતા એનો વિરોધ કરવામાં આવ્‍યો હતો.
વન અધિકાર કાયદો 2006 ની કાર્યવાહી અંગે 2013 માં ગુજરાત નામદાર હાઇકોર્ટ ચુકાદો આપેલ કે જ્‍યાં સુધી વન અધિકાર કાયદો 2006 મુજબ દાવા અરજીઓનો સંપુર્ણ પણે નિકાલ ન થાય ત્‍યાં સુધી વન ગુજરાત નામદાર હાઈકોર્ટ વર્ષ 2011માં આપેલ મનાઈ હુકમ ચાલુ રહે છે. જ્‍યાં સુધી દાવાઓનો સંપૂર્ણ નિકાલ ન થાય ત્‍યાં સુધી વન વિભાગ દાવા વાળી જમીનમાં પ્‍લાન્‍ટેસન કે અન્‍ય કામગીરી કરશે નહિ. સંવિધાનની 5મી અનુસૂચિ હેઠળ આદિવાસી વિસ્‍તારમાં અમલવારી બાબતે ગ્રામસભામાં ઠરાવ કરેલ હોય જે બાબતની મોટી સંખ્‍યામાં ગ્રામજનો અનેઆગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી હતી.
જ્‍યાં મોહના કાઉચાળી સરપંચ શ્રી દેવું મોકાસી, તામછડી ગામના આગેવાન શ્રી માવજીભાઈ, દેવુભાઈ, નવીનભાઈ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્‍ય કલ્‍પેશ પટેલ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

સરીગામની મેક્‍લોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં ‘રાષ્‍ટ્રીય સુરક્ષા સપ્તાહ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડી બોર્ડર પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

Leave a Comment