January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી વૃક્ષો જમીનદોસ્‍તઃ વીજળીના થાંભલા તૂટી પડતા વીજળી ગુલઃ સુરંગીમાં પોલીસ આઉટપોસ્‍ટ ધરાશાયી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીમાં વાદળોના ગડગડાટ અને વિજળીના ચમકારા સાથે અને પવન સાથે ભારે વરસાદ ખાબકવાના પડવાને કારણે કેટલાક ગામોમાં વૃક્ષો તૂટી પડતા મુખ્‍ય રસ્‍તાઓ બંધ થઈ જવા પામ્‍યા હતા. જ્‍યારે કેટલીક જગ્‍યાઓ પર વૃક્ષો પડવાને કારણે વીજપોલને ભારે નુકસાન થતાં વીજળી પણ ગુલ થતાં લોકોને અંધારપટ્ટનો સામનો કરવા પડયો હતો.
સુરંગી ગામે એક જગ્‍યા પર આંબાનું મોટું ઝાડ પડી જતાં રસ્‍તો બંધ થઈ ગયો હતો જેને ફાયર વિભાગ અને ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હટાવી રસ્‍તો ખુલ્લો કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે સુરંગી આઉટપોસ્‍ટ નજીક નિલગીરીનું ઝાડ પડવાને કારણે આગળના ભાગે નુકસાન થયું હતું. સુરંગી, આંબોલી અને વાસોણા ગામમાં પણ વૃક્ષો તુટી પડયા હતા. જેને હટાવવાની કામગીરી પ્રશાસન દ્વારા હાથ ધરી હતી પરંતુ એના કારણે કેટલાક વીજપોલ તુટી જવાને કારણે કેટલાક ગામોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.
સેલવાસમાં 22.6 એમએમ એટલે એક ઇંચ વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ2936.4 એમએમ એટલે કે 117.44 ઇંચ વરસાદ થયો છે. જ્‍યારે ખાનવેલમા 42.5 એમએમ એટલે કે દોઢ ઇંચથી વધુ અને સિઝનનો કુલ વરસાદ 2806.2 એમએમ એટલે કે 110.48 ઇંચ વરસાદ થયો છે. મધુબનડેમનું લેવલ 78.40 મીટર છે. મધુબન ડેમમાં પાણીની આવક 10507 ક્‍યુસેક છે અને ડેમમાં પાણીની જાવક 11582 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વાપીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી વિવિધ સેવાકીય કામગીરીથી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 64.32 ટકા નોંધાયેલું મતદાન: 21ના મંગળવારે જે તે મતદાન ગણતરી કેન્‍દ્રો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવનાર છે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા બે દિવસીય સંસ્કૃતિ હમારી ધરોહર કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીના ઉમરસાડીની જે.વી.બી. સ્મારક હાઈસ્કૂલમાં પ્રાકૃતિક કૃષિ કૌશલ્ય તાલીમ વર્ગનો નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયેલો શુભારંભ

vartmanpravah

આ તે કેવી ભક્‍તિ ? ઉત્‍સવ પૂર્ણ થાય બાદ શ્રીજીની દુર્દશા : ચીખલીમાં ગણેશજીની દસ દિવસ પૂજા-અર્ચના તો કરી પરંતુ વિસર્જન યોગ્‍ય ન કર્યું

vartmanpravah

Leave a Comment