June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મલાવ ખાતે આરટીઓ અધિકારીએ નિયમ વિરુદ્ધ ચાલતી માટી ભરેલી બે ટ્રક સામે કરેલી કાર્યવાહી

ઉમરગામ તાલુકામાં ચાલતા ગેરકાયદેસર માટી ખનન અને નિયમના ધજીયા ઉડાવી વહન કરતાં વાહનો સામે ઠોસ પગલા ભરવાની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.14: ઉમરગામ તાલુકાના મલાવ ખાતે આજરોજ આરટીઓ અધિકારીઓએ બે વાહન સામે નિયમનું ઉલ્લંઘન કરી વહન કરતા હોવાથી કાર્યવાહી હાથ ધરી છે. સંજાણ તરફથી મલાવ તરફ આવી રહેલી બે ટ્રક ઉપર એનએચઆઈ (નેશનલ હાઈવે ઓથોરિટી)નું બોર્ડ મારેલું હતું. જેને આંતરી તપાસ કરતા ટેક્‍સ, પરમીટ,ઈન્‍સ્‍યોરન્‍સ જેવા કાગળો ઉપલબ્‍ધ ન હતા.
ઉમરગામ તાલુકામાં રોડ અને બ્રિજ સહિતના સરકારી પ્રોજેક્‍ટ ચાલી રહ્યા છે. અને સાથે સાથે ઠેર ઠેર પ્રાઈવેટ ડેવલપમેન્‍ટ પણ થઈ રહ્યા છે. આ કામગીરીમાં માટીપુરાણ અને પથ્‍થર કપચી વગેરેની મોટા પ્રમાણમાં જરૂરત પડી રહી છે. માટીનું ખોદકામ અને પુરાણના સ્‍થળેથી વહન કરતા મોટાભાગના વાહનો નિયમનું ઉલ્લંઘન કરીને ચાલી રહ્યા છે જેમની સામે પગલ ભરવાની આવશ્‍યકતા જણાઈ રહી છે.

Related posts

વાપી વિસ્‍તારમાં ભણતા 109 જેટલાં બાળકો વચ્‍ચે 3 અલગ અલગ ગૃપ બનાવીને ચેસ રમવાની હરીફાઈ રખાઈ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્રથમ વર્ષ બી ફાર્મસી, એમ ફાર્મસીનો ઓરિયએન્‍ટેશન પોગ્રામ યોજાયો

vartmanpravah

દમણ ખાતે યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદના વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષભર થનારા કાર્યક્રમોની કરાયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

દીવમાં યોજાનારી જી-20ની બેઠકને યાદગાર બનાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંભાળેલોમોરચો

vartmanpravah

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment