March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મલાવ ખાતે આરટીઓ અધિકારીએ નિયમ વિરુદ્ધ ચાલતી માટી ભરેલી બે ટ્રક સામે કરેલી કાર્યવાહી

ઉમરગામ તાલુકામાં ચાલતા ગેરકાયદેસર માટી ખનન અને નિયમના ધજીયા ઉડાવી વહન કરતાં વાહનો સામે ઠોસ પગલા ભરવાની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.14: ઉમરગામ તાલુકાના મલાવ ખાતે આજરોજ આરટીઓ અધિકારીઓએ બે વાહન સામે નિયમનું ઉલ્લંઘન કરી વહન કરતા હોવાથી કાર્યવાહી હાથ ધરી છે. સંજાણ તરફથી મલાવ તરફ આવી રહેલી બે ટ્રક ઉપર એનએચઆઈ (નેશનલ હાઈવે ઓથોરિટી)નું બોર્ડ મારેલું હતું. જેને આંતરી તપાસ કરતા ટેક્‍સ, પરમીટ,ઈન્‍સ્‍યોરન્‍સ જેવા કાગળો ઉપલબ્‍ધ ન હતા.
ઉમરગામ તાલુકામાં રોડ અને બ્રિજ સહિતના સરકારી પ્રોજેક્‍ટ ચાલી રહ્યા છે. અને સાથે સાથે ઠેર ઠેર પ્રાઈવેટ ડેવલપમેન્‍ટ પણ થઈ રહ્યા છે. આ કામગીરીમાં માટીપુરાણ અને પથ્‍થર કપચી વગેરેની મોટા પ્રમાણમાં જરૂરત પડી રહી છે. માટીનું ખોદકામ અને પુરાણના સ્‍થળેથી વહન કરતા મોટાભાગના વાહનો નિયમનું ઉલ્લંઘન કરીને ચાલી રહ્યા છે જેમની સામે પગલ ભરવાની આવશ્‍યકતા જણાઈ રહી છે.

Related posts

વલસાડ આરટીઓ કચેરી દ્વારા પારડીની શાળામાં રોડ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

vartmanpravah

વલસાડ પારનેરા ડુંગર સ્‍થિત રામેશ્વર મહાદેવના મંદિર રિપેરીંગ કામે આવતા મજુરે ચોરી કરી

vartmanpravah

વિધાનસભા સામાન્‍ય ચૂંટણીના નિરીક્ષણ અર્થે નવસારી જિલ્લામાં ઓબ્‍ઝર્વરોની નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

વાપીમાં ભાનુશાલી સમાજનું મહાસંમેલન યોજાયું: દક્ષિણ ગુજરાતના 13 ભાનુશાલી મંડળે ભાગ લીધો

vartmanpravah

Leave a Comment