Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણ જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ આયુક્‍ત સૌરભ મિશ્રાએ 18 શ્રમિક પરિવારોને સામી હોળીએ કરાવી દિવાળીના આનંદની અનુભૂતિ

18 કામદારોને રૂા.1.20 કરોડનું વેતન અને ગ્રેજ્‍યુટીનું અપાવેલું વળતર

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને શ્રમિકો પ્રત્‍યેના સંવેદનશીલ અભિગમના કારણે દાનહ અને દમણ-દીવમાં કામદારોના કલ્‍યાણ અને સશક્‍તિકરણ માટે રહેલા પ્રશાસનના સક્રિય પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : આજે દમણના જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ અને રોજગાર આયુક્‍ત શ્રી સૌરભ મિશ્રાએ 18 જેટલા કામદારોને રૂા.1.20 કરોડનું વેતન અને ગ્રેજ્‍યુટી વળતર અપાવતા શ્રમિક પરિવારોમાં સામી હોળીએ દિવાળીનો આનંદ પ્રગટ થઈ રહ્યો છે. આ કામદારોને લાંબા સમયથી કંપની દ્વારા વેતન આપવામાં નહીં આવતું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વઅને શ્રમિકો પ્રત્‍યેના સંવેદનશીલ અભિગમના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કામદારોના કલ્‍યાણ અને સશક્‍તિકરણ માટે પ્રશાસનના હંમેશા સક્રિય પ્રયાસ રહ્યા છે. જે કડીમાં આજે દમણના 18 શ્રમિકોને રૂા.1.20 કરોડનું વેતન તથા ગ્રેજ્‍યુટી વળતરનો લાભ અપાવી પ્રશાસને કામદારોના કલ્‍યાણ પ્રત્‍યેની પોતાની પ્રતિબધ્‍ધતા પણ પ્રગટ કરી છે.
દરમિયાન દમણ જિલ્લા પ્રશાસને શ્રમિકોમાં નાણાંકીય સાક્ષરતાને પ્રોત્‍સાહન આપવા અને વધુ સશક્‍ત બનાવવા માટે એક વિશેષ નાણાંકીય સાક્ષરતા કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યશાળામાં શ્રમિકોને તેમની પાસે આવેલ રૂપિયાનું કેવી રીતે રોકાણ કરવું તે બાબતે જાણકારી આપવામાં આવી હતી. કાર્યશાળા દરમિયાન આર્થિક નિષ્‍ણાતોએ શ્રમિકોને વિવિધ રોકાણની તક, બચત ઉપાયો અને સમજદાર નાણાંકીય યોજના ટેક્‍નિકો ઉપર મહત્‍વની જાણકારી આપી હતી. જેનું લક્ષ શ્રમિકોને આવશ્‍યક જ્ઞાન અને સાધન પ્રદાન કરવાનું હતું, જેથી તેઓ પોતાના નાણાંકીય ભવિષ્‍યની બાબતમાં ઉચિત નિર્ણય લઈ શકે અને પોતાના પરિવાર માટે લાંબા સમય સુધી આર્થિક સ્‍થિરતા અને સુરક્ષા નિヘતિ કરી શકે.
આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શ્રમિકોના કલ્‍યાણ અને સશક્‍તિકરણ માટે નિરંતર સમર્થનનીગેરંટી આપી હતી. જિલ્લા કલેક્‍ટરશ્રીએ શ્રમિકોને નાણાંકીય સહારો પ્રદાન કરવાની વ્‍યક્‍ત કરેલી અપેક્ષા સાથે નાણાંકીય સાક્ષરતાને પ્રોત્‍સાહન આપવાની જરૂરિયાત પણ સમજાવી હતી. જેથી વ્‍યક્‍તિઓ સ્‍વતંત્ર રૂપથી સમજદારીપૂર્વક આર્થિક નિર્ણય લેવા માટે પોતાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે.
આ પ્રસંગે લાભાર્થી શ્રમિકોએ પ્રશાસન દ્વારા મળેલ વળતર માટે આભાર પ્રગટ કર્યો હતો અને તેમણે આ સાક્ષરતા કાર્યક્રમના મહત્‍વને પણ સમજ્‍યો હતો.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસન દ્વારા છેલ્લા એક વર્ષમાં શ્રમિકોને લગભગ 3.04 કરોડનું વળતર આપવામાં આવ્‍યું હતું. જેમાં 31 કંપનીઓના 53 શ્રમિકોનો સમાવેશ થતો હતો.

Related posts

વલોટી સહિત ચીખલી પંથકમાં ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતિની કેક કાપી કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની તરીકે સંબોધન કરનાર કોંગ્રેસના નેતા વિરુદ્ધ ઉગ્ર બનતું આંદોલન: પારડીમાં ભાજપ દ્વારા ગઈકાલે પૂતળા દહન કાર્યક્રમ બાદ આજરોજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

ચીખલી વંકાલના તળાવમાંથી વહી રહેલા પાણીને અટકાવવા ઉઠેલી માંગ

vartmanpravah

Leave a Comment