October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરને એક લાખ મતોથી વિજયી બનાવવા યુવા નેતા સની ભીમરાની હાકલ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલા પ્રદેશના સર્વાંગી વિકાસને ધ્‍યાનમાં રાખી દાનહના સાંસદ રહેલા કલાબેન ડેલકર ભાજપના ઉમેદવાર બન્‍યા છે તે આપણાં દરેક માટે ગૌરવની વાતઃ સની ભીમરા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની ભારતીય જનતા પક્ષે ટિકિટ જાહેર કર્યા બાદ ઘોષિત થયેલા ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરના પાર્ટી પ્રવેશ અને સન્‍માનના સેલવાસ ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે યોજાયેલા સમારંભમાં યુવા નેતા શ્રી સની ભીમરાની ગેરહાજરી રહી હતી. તેમની ગેરહાજરીના પગલે સોશિયલ મીડિયામાં શ્રી સની ભીમરા ભાજપમાંથી બળવો કરી ઉમેદવારી કરવાના હોવાની અનેક વાતો વહેતી થઈ હતી. જેના અનુસંધાનમાં આજે યુવા નેતા અને પ્રદેશના પ્રસિદ્ધ ધારાશાષાી શ્રી સની ભીમરાએ પત્રકારો સાથે વાતચીત કરી લાંબા સમયથી ફેલાયેલી અફવાનું ખંડન કર્યું હતું.
યુવા નેતા અને પ્રસિદ્ધ ધારાશાષાી શ્રી સની ભીમરાએ શ્રીમતી કલાબેન ડેલકરને ભાજપની ટિકિટ મળવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા અને તેઓ એક લાખ કરતા વધુ મતોથી વિજયી બને એ પ્રકારના તમામ પ્રયાસો કરવા પોતાનીખાત્રી વ્‍યક્‍ત કરી હતી.
શ્રી સની ભીમરાએ જણાવ્‍યું હતું કે, જે દિવસે ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરનો સત્‍કાર સમારંભ યોજાયો હતો તે દિવસે તેઓ પોતાના વ્‍યક્‍તિગત કારણોસર વ્‍યસ્‍ત હતા. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, અમે મોદીના પરિવારના છીએ, તેથી ભાજપ સાથે દગો કરવાનું અમારા લોહીમાં નથી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીના સાંસદ રહેલા શ્રીમતી કલાબેન ડેલકરે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલા પ્રદેશના સર્વાંગી વિકાસને ધ્‍યાનમાં રાખી ભાજપના ઉમેદવાર બન્‍યા છે તે આપણાં દરેક માટે ગૌરવની વાત છે અને આપણે 400 બેઠકો સાથે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ફરી વડાપ્રધાન બનાવવાના છે તેમાં દાદરા નગર હવેલી બેઠક એક લાખ મતથી વિજયી બનાવી પ્રધાનમંત્રીશ્રીના ચરણમાં ભેટ આપવી છે. તેમણે શ્રીમતી કલાબેન ડેલકરને ભાજપ પરિવારના હિસ્‍સા બનવા બદલ અભિનંદન પણ પાઠવ્‍યા હતા અને શુભકામના પણ આપી હતી.

Related posts

‘રોબોએજ પ્રોગ્રામ’ અંતર્ગત યોજાનારી ‘‘રોબોટેક્‍સ આંતરરાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશીપ-2024”માં સંઘપ્રદેશના 5 વિદ્યાર્થીઓ ભાગ લેશે

vartmanpravah

વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં વિશ્વ માનસિક આરોગ્‍ય માસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાયક્રમ યોજાયો

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી રૂા. 13.પ1 લાખનો દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા મહિલાઓની સર્વગ્રાહી સંભાળ માટે હાઇપરટેન્‍શન અને માસિકષાાવ આરોગ્‍ય સત્રનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીમાં રોડના ખાડા પૂજન કરી કોંગ્રેસ અને આપના કાર્યકરોએ પાલિકાને 10 દિવસમાં ખાડા પુરવા આપેલું અલ્‍ટિમેટમ

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment