35 વર્ષિય સુરેશ રાજપૂતે કામ કરતા જીવંત વાયર વાયરને અડી જતા કરંટ લાગ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: મોત ક્યારે અને કેવા સ્વરૂપે આવે તેની કોઈ વ્યાખ્યા નથી. કંઈક તેવી જ ઘટના વલસાડ કેરી માર્કેટમાં કાર્યરત એક ટાયરની દુકાનમાં આજે બુધવારે બપોરે દુકાનમાં કામ કરી રહેલ 35 વર્ષિય યુવાન જીવંત વાયરને અડકી જતા ઘટના સ્થળે જ યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું.
વલસાડ પાવર હાઉસ પાસે કાર્યરત કેરી માર્કેટમાં પટેલ ટાયર નામની દુકાન આવેલી છે. દુકાનમાં સુરેશ રાજપૂત નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જીવંત વાયરને અડી જતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ બાદ સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુઆગળની તપાસ હાથ ધરી હતી.