December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્‍ટમ લગાવાઈ

હાઈસ્‍પીડ રેલ કોરીડોર ઉપર અગાઉ 28 સિસ્‍મોમીટર લગાવવામાં આવેલા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની તેજ ગતિમાં કામગીરી ચાલી રહી છે. મુસાફરોની સલામતિ માટે પવનની ગતિવિધિ જાણવા માટે આ પ્રોજેક્‍ટમાં 14 પુલો ઉપર મોનિટરીંગ સિસ્‍ટમ લગાવાઈ છે.
બુલેટ ટ્રેન દરિયા કિનારાના પ્રદેશ પヘમિ ભાગ નજીકથી પસાર થાય છે. તેથી પવનની ગતિ જાણવા અને ટ્રેન ઉપર આડ અસર ઉભી થાય, ટ્રેનને પ્રભાવિત કરે જેથી મુસાફરોની સલામતિ પ્રભાવિત થાય તે ધ્‍યાને લઈને ચિંતાના નિવારણ માટે વાયડક્‍ટ પર એનોમિટર લગાવવા માટે 14 સ્‍થળોની પસંદગી કરાઈ હતી. જેમાં ગુજરાતના 9 અને મહારાષ્‍ટ્રમાં 5 મળી 14 ઉપકરણો નદીના પુલો અને પવનગ્રસ્‍ત વિસ્‍તારો ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે. ઓપરેશન કન્‍ટ્રોલ સેન્‍ટર વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત એનોમિટર મારફતે પવનની ગતિ ઉપર નજર રાખશે. એનોમિટર એ આપત્તિ નિવારણ પધ્‍ધતિનો એક પ્રકાર છે. જેથી 360 ડિગ્રી ફેલાયેલ 0.252 કીલોમીટર પ્રતિકલાક રેન્‍જમાં વાસ્‍તવિક સમયની પવન ગતિનો ડેટા પુરો પાડવા માટે ડિઝાઈન કરાયેલ છે. પવનની ગતિ મુજબ ટ્રેનનીગતિમાં ફેરફાર કરવામાં આવશે.

Related posts

ભાજપના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ એ.પી.અબ્‍દુલ્લા કુટ્ટીએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સરકારના ભૂસ્‍તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ ફરજિયાત કરાતા ચીખલીમાં દિવાળીના તહેવાર ટાણે જ ટ્રકોના પૈંડા થંભી ગયા

vartmanpravah

વાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્‍સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયા

vartmanpravah

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી ઈસ્‍કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં મે માસના સ્‍વાગત કાર્યક્રમ માટે તા.10 મે સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25-26મીએ કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

Leave a Comment