(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના સામરવરણી ગામની સંગમ સીટી સોસાયટીમાં રહેતા વેપારીનું એમના ઘરમાં ચક્કર આવી જતાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હોવાની દુઃખદ ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઈશ્વર સિંહ રાજપૂત (ઉ.વ.43) હાલ રહેવાસી સંગમ સીટી સોસાયટી- સામરવરણી, મૂળ રહેવાસી-રાજસ્થાન. જેઓ સેલવાસ કિલવણી નાકા નજીક હોરિઝોન હાઈટ્સમાં નવકાર ઈલેક્ટ્રીક નામની દુકાન ચલાવતા હતા. જેઓ સવારે દુકાને જવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે તેમને અચાનક ઉલ્ટી આવ્યા બાદ બાથરૂમની અંદર ચક્કર આવી જતાં પડી ગયા હતા. તેઓને તેમના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ ઘરમાં જ એમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં વેપારી આલમમાં શોકની લાગણી જોવા મળી હતી.
Previous post