December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના સામરવરણી ગામની સંગમ સીટી સોસાયટીમાં રહેતા વેપારીનું એમના ઘરમાં ચક્કર આવી જતાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હોવાની દુઃખદ ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઈશ્વર સિંહ રાજપૂત (ઉ.વ.43) હાલ રહેવાસી સંગમ સીટી સોસાયટી- સામરવરણી, મૂળ રહેવાસી-રાજસ્‍થાન. જેઓ સેલવાસ કિલવણી નાકા નજીક હોરિઝોન હાઈટ્‍સમાં નવકાર ઈલેક્‍ટ્રીક નામની દુકાન ચલાવતા હતા. જેઓ સવારે દુકાને જવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે તેમને અચાનક ઉલ્‍ટી આવ્‍યા બાદ બાથરૂમની અંદર ચક્કર આવી જતાં પડી ગયા હતા. તેઓને તેમના પરિવારજનો તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ ઘરમાં જ એમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં વેપારી આલમમાં શોકની લાગણી જોવા મળી હતી.

Related posts

સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલ કરવડમાં નવરાત્રિના તહેવારની આનંદ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દાનહની આલોક પબ્‍લિક સ્‍કૂલનું સરાહનીય પગલું: સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન વાપીમાં હિન્દી દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહના રખોલી મંડળમાં ‘મન કી બાત’નું સીધુ પ્રસારણ બતાવવામાં આવ્‍યુ઼ : મોટી સંખ્‍યામા લોકો રહ્યા ઉપસ્‍થિત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રા.પં.ની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 3 બહેનોને સ્‍વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ

vartmanpravah

Leave a Comment