October 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

અથાલની કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દાદરા નગર હવેલીના લુહારી ફાટક અથાલ ગામે આવેલ કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું એના રૂમની અંદર જ મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રમેશ રાય (ઉ.વ.38) જેઓ યુનોવેલ કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હતા અને કંપનીની કોલોનીમાં જ રહેતા હતા. તેઓ મૂળ રહેવાસી બિહારના હતા. જેઓ સાંજે નોકરી પરથી છૂટી રાત્રી દરમ્‍યાન દારૂ પીને જમીને સુઈ ગયા હતા. પરંતુ સવારે એની સાથે નોકરી કરતા બીજા મિત્ર રૂમ પર આવ્‍યા ત્‍યારે જોયું તો રમેશ રાય રૂમની અંદર જ મૃત અવસ્‍થામાં હતા. મિત્રએ રમેશ રાયને મૃત અવસ્‍થામાં પડેલા જોઈ કંપની સંચાલકોને તાત્‍કાલિક જાણ કરી હતી. કંપની સંચાલકોએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્‍થળે ધસી આવી હતી અને લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈજવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડ અનાવિલ સમાજ દ્વારા વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

વિશ્વ હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ધરમપુરમાં તા.29 સપ્‍ટેમ્‍બરે યોગ શિબિર યોજાશે

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલની આજે પ્રથમ પુણ્‍ય તિથિ : સત્‍કાર્યોની તાજી થતી યાદો

vartmanpravah

વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્‍યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્‍ટર ‘‘શ્રેષ્‍ઠ”નું કરાયેલું લોન્‍ચીંગ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સેલવાસમાં 175 મીટરના તિરંગા સાથે પદયાત્રા યોજાઈ

vartmanpravah

પશ્ચિમ ભારત માછી મહાસંઘ અને સૌરાષ્‍ટ્રના માછી સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મંત્રીઓની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment