August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે દીવના વણાંકબારાથી શરૂ કર્યો પોતાનો પ્રચાર

  • વણાંકબારા વિસ્‍તારની લોકોને રાશન અને પેન્‍શન નહીં મળવાની સામે આવેલી મુખ્‍ય સમસ્‍યા

  • 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના લાલુભાઈ પટેલને કુલ 37,597 મત મળ્‍યા હતા તેની સામે કોંગ્રેસના કેતનભાઈ પટેલને 27,655 મત મળ્‍યાહતા અને ઉમેશભાઈ પટેલને 19,938 મત મળતાં કોંગ્રેસનો બગડયો હતો ખેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ દીવના વણાંકબારાથી કર્યો હતો.
વણાંકબારાના વડિલ લોકોના આશીર્વાદ લઈ પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. આ વિસ્‍તારના લોકોમાં મોટાભાગે રાશન અને પેન્‍શન નહીં મળવાની મુખ્‍ય સમસ્‍યા હોવાનું શ્રી ઉમેશભાઈ પટેલને જાણવા મળ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી ઉમેશભાઈ પટેલને 19,938 મતો સાથે કુલ મતના 22.8 ટકા મત મળ્‍યા હતા અને તે વખતે કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલને 27,655 મત સાથે કુલ મતના 31.6 ટકા મત મળ્‍યા હતા. જ્‍યારે ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલને કુલ 37,597 મત સાથે કુલ મતના 43.00 ટકા મત મળતાં કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલ સામે 9,942 મતે 2019માં ભવ્‍ય વિજય થયો હતો.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

vartmanpravah

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં ચાર માસના ગાયના બચ્‍ચાના પેટમાંથી ગાંઠ કાઢી નવુ જીવન અપાયુ

vartmanpravah

Leave a Comment