April 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે દીવના વણાંકબારાથી શરૂ કર્યો પોતાનો પ્રચાર

  • વણાંકબારા વિસ્‍તારની લોકોને રાશન અને પેન્‍શન નહીં મળવાની સામે આવેલી મુખ્‍ય સમસ્‍યા

  • 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના લાલુભાઈ પટેલને કુલ 37,597 મત મળ્‍યા હતા તેની સામે કોંગ્રેસના કેતનભાઈ પટેલને 27,655 મત મળ્‍યાહતા અને ઉમેશભાઈ પટેલને 19,938 મત મળતાં કોંગ્રેસનો બગડયો હતો ખેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ દીવના વણાંકબારાથી કર્યો હતો.
વણાંકબારાના વડિલ લોકોના આશીર્વાદ લઈ પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. આ વિસ્‍તારના લોકોમાં મોટાભાગે રાશન અને પેન્‍શન નહીં મળવાની મુખ્‍ય સમસ્‍યા હોવાનું શ્રી ઉમેશભાઈ પટેલને જાણવા મળ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી ઉમેશભાઈ પટેલને 19,938 મતો સાથે કુલ મતના 22.8 ટકા મત મળ્‍યા હતા અને તે વખતે કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલને 27,655 મત સાથે કુલ મતના 31.6 ટકા મત મળ્‍યા હતા. જ્‍યારે ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલને કુલ 37,597 મત સાથે કુલ મતના 43.00 ટકા મત મળતાં કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલ સામે 9,942 મતે 2019માં ભવ્‍ય વિજય થયો હતો.

Related posts

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના કુદરતી પ્રવાસન સ્‍થળોની ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ખેરગામના યુવા પરિમલ પ્રથમ ક્રમાંકે

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સેવા પખવાડીયુ અંતર્ગત વાપી તાલુકા અને શહેર ભાજપ મહિલા મોરચા તથા ડોક્‍ટર સેલના સંયુક્‍ત ઉપક્રમે દવા વિતરણ તેમજ હિમોગ્‍લોબીન ટેસ્‍ટનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દીવ દ્વારા જિલ્લા કક્ષાની વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની તરીકે સંબોધન કરનાર કોંગ્રેસના નેતા વિરુદ્ધ ઉગ્ર બનતું આંદોલન: પારડીમાં ભાજપ દ્વારા ગઈકાલે પૂતળા દહન કાર્યક્રમ બાદ આજરોજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

Leave a Comment