July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે દીવના વણાંકબારાથી શરૂ કર્યો પોતાનો પ્રચાર

  • વણાંકબારા વિસ્‍તારની લોકોને રાશન અને પેન્‍શન નહીં મળવાની સામે આવેલી મુખ્‍ય સમસ્‍યા

  • 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના લાલુભાઈ પટેલને કુલ 37,597 મત મળ્‍યા હતા તેની સામે કોંગ્રેસના કેતનભાઈ પટેલને 27,655 મત મળ્‍યાહતા અને ઉમેશભાઈ પટેલને 19,938 મત મળતાં કોંગ્રેસનો બગડયો હતો ખેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ દીવના વણાંકબારાથી કર્યો હતો.
વણાંકબારાના વડિલ લોકોના આશીર્વાદ લઈ પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. આ વિસ્‍તારના લોકોમાં મોટાભાગે રાશન અને પેન્‍શન નહીં મળવાની મુખ્‍ય સમસ્‍યા હોવાનું શ્રી ઉમેશભાઈ પટેલને જાણવા મળ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી ઉમેશભાઈ પટેલને 19,938 મતો સાથે કુલ મતના 22.8 ટકા મત મળ્‍યા હતા અને તે વખતે કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલને 27,655 મત સાથે કુલ મતના 31.6 ટકા મત મળ્‍યા હતા. જ્‍યારે ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલને કુલ 37,597 મત સાથે કુલ મતના 43.00 ટકા મત મળતાં કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલ સામે 9,942 મતે 2019માં ભવ્‍ય વિજય થયો હતો.

Related posts

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા

vartmanpravah

મનપા ઉધનાઝોનમાં ગેરકાયદે બાંધકામની ભલામણ મુદ્દે કોર્પોરેટરો બે જૂથમાં

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્‍થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

દમણ પોલીસે લૂંટના ગુનામાં બે આરોપી સહિત કબ્‍જે કરેલો મુદ્દામાલ

vartmanpravah

દમણમાં બાબા રામદેવ પીરની જન્‍મજયંતિ નિમિત્તે પદયાત્રા નિકળી

vartmanpravah

Leave a Comment