Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાયબ કલેક્‍ટર પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે યોજાયેલી બેઠક

ચૂંટણી સમયે માહિતી અને સમાચારોની સત્તાવાર પુષ્‍ટિ કરવા તેમજ ખોટી માહિતી અને ભડકાઉ પોસ્‍ટને રોકવા તથા કોઈપણ વ્‍યક્‍તિની છબીને ખરાબ કરનારી પોસ્‍ટને પ્રસારિત નહીં કરવા સહિત ચૂંટણી સંબંધિત તમામ પોસ્‍ટ માટે ચૂંટણીના ઉમેદવાર કે રાજકીય પક્ષો પાસેથી તેને પ્રસારિત કરવા માટેના પ્રમાણપત્રની નકલ મેળવવા તમામ સોશિયલ મીડિયા પ્રભાવકોને સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : આગામી લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં દમણ જિલ્લા ચૂંટણી તંત્રએ આ વખતે નિષ્‍પક્ષ પારદર્શક અને મુક્‍ત, ન્‍યાયી ચૂંટણી યોજવા માટે કમર કસી છે. જેમાં તંત્રએ વિવિધ દેખરેખ સમિતિઓનું પણ ગઠન કર્યું છે.
જેના ઉપલક્ષમાં ગઈકાલે શનિવારે સાંજે 5:00 વાગ્‍યે દમણ જિલ્લા નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયાપ્રભાવકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ સહિત વાપી વિસ્‍તારના સોશિયલ મીડિયા પ્રભાવકો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ બેઠકમાં નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે આગામી લોકસભા ચૂંટણીના સંબંધમાં માહિતી આપતા જણાવ્‍યું હતું કે, દેશના બહુમતિ યુવાઓ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, તેથી ચૂંટણી સમયે માહિતી અને સમાચારોની સત્તાવાર પુષ્‍ટિ હોવી જરૂરી છે. તેનાથી ખોટી માહિતી અને ભડકાઉ પોસ્‍ટને રોકી શકાય. તેમણે તમામ સોશિયલ મીડિયા પ્રભાવકોને જણાવ્‍યું હતું કે, કોઈપણ વ્‍યક્‍તિની છબીને ખરાબ કરનારી પોસ્‍ટને પ્રસારિત કરવામાં નહીં આવે તથા ચૂંટણી સંબંધિત તમામ પોસ્‍ટ માટે ચૂંટણીના ઉમેદવાર કે રાજકીય પક્ષો પાસેથી તેને પ્રસારિત કરવા માટેના પ્રમાણપત્રની નકલ મેળવવી આવશ્‍યક છે.
નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, સોશિયલ મીડિયા જેમ કે, વોટ્‍સએપ, ઈન્‍સ્‍ટ્રાગ્રામ, ફેસબૂક તથા એક્‍સ(ટ્‍વીટર) જેવાની તમામ પ્રવૃત્તિઓ ઉપર સમિતિઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉપરાંત શ્રી સિંહે તમામ સોશિયલ મીડિયા પ્રભાવકોને મતદાન સાથે સંબંધિત સામગ્રી બનાવવા માટે પણ અપીલ કરી હતી, જેથી વધુમાં વધુ લોકો જોડાઈ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચનીસૂચના મુજબ, કોઈપણ ઉમેદવારો અને રાજકીય પક્ષોની જાહેરાતો એમસીએમસીના પ્રી-સર્ટિફિકેશન દ્વારા કરવામાં આવશે, જે માત્ર જાહેરાતોની ગુણવત્તાને સુનિヘતિ કરશે જ, પરંતુ એ પણ સુનિヘતિ કરશે કે ચૂંટણી પંચના નિયમોનું કોઈ ઉલ્લંઘન તો નથી થઈ રહ્યું ને…?

Related posts

દમણવાડા ગ્રા.પં.ની મળેલી પહેલી સલાહકાર પરિષદની બેઠકઃ વિકાસકામોના સોશિયલ ઓડિટ ઉપર જોર

vartmanpravah

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

બિપરજોય વાવાઝોડા ઉપલક્ષમાં વલસાડ જિલ્લા પ્રશાસન એલર્ટ : કોસ્‍ટગાર્ડ-એન.ડી.આર.એફ.ની ટીમો સજ્જ

vartmanpravah

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

વાપી કરવડ નહેરમાંથી મળેલ બાળકની લાશનું માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળ્યા

vartmanpravah

Leave a Comment