August 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ભાગડાખુર્દ ગામે પ્રોટેકશન વોલ ધોવાઈ જતા ઔરંગા નદીના પાણી ઘૂસી જતા ત્રણ ઘરની દિવાલો ધસી પડી

ત્રણ પરિવારો બેઘર બની ગયા, તમામને સેલ્‍ટર હોમમાં ખસેડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વલસાડ જિલ્લામાં અતિવૃષ્‍ટિએ જ્‍યાં ત્‍યાં વિનાસ વેરવો શરૂ કરી દીધો છે. ખાસ કરીને વલસાડ શહેરના આજુબાજુ તથા તળના ગામોમાં ઔરંગા નદી પુરના પાણી અનેક વિસ્‍તારોમાં ઘૂસી જઈને જનજીવન ઠપ્‍પ કરીને સારી એવી ખાનાખરાબી-તારાજી સર્જી દીધી છે. તેવી વધુ એક ઘટનાનો સોમવારે રાત્રે વધારો થયો છે. વલસાડના ભાગડાખુર્દ ગામે વહેતી ઔરંગા નદીના પાણી પ્રોટેકશન વોલ ધસી પડતા ગામમાં ઘૂસી ગયા હતા. કિનારાના ત્રણ ઘરની પાછળની દિવાલો ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ બાદ પ્રશાસન દોડતું થઈ ગયું હતું.
વલસાડના ભાગડાખુર્દ ગામે ત્રણ મકાનની દિવાલો તૂટી પડતા ત્રણ પરિવારો રાતમાં બેઘર થઈ ગયા હતા. મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ ગામમાં ધસી ગયા હતા. ત્રણેય પરિવારના 20 જેટલા સભ્‍યોને તાત્‍કાલિક સેલ્‍ટર હોમમાં ખસેડાયા હતા. ભોગ બનનાર પરિવારોએ વળતરની માંગ કરી હતી તેમજ પુરના પાણીની સમસ્‍યાઅંગે દરેક નેતાઓને લેખિત-મૌખિક માંગણી કરી છે પરંતુ સમસ્‍યાનો કાયમી ઉકેલ હજુ સુધી થયો નથી.

Related posts

નરોલીની આંબાવાડીમાંથી મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલવા દાનહ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કેન્‍દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવને ટ્રેનોના સ્‍ટોપેજ અંગે રજૂઆત કરી

vartmanpravah

ધરમપુરમાં હજારો આદિવાસીઓએ જિ.પં. તથા તા.પં.ના સભ્‍યોની મૈયત સાથે પ્રતિક ઠાઠડી કાઢી

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ બન્‍યા કેબિનેટ મંત્રી : સમગ્ર પારડી વિસ્‍તારમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

રિક્ષાની સીએનજી ટેન્‍કમાં દારૂનો જથ્‍થો છુપાવી લઈ જતાં ખેપિયાની મોતીવાડાથી ધરપકડ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment