April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ભાગડાખુર્દ ગામે પ્રોટેકશન વોલ ધોવાઈ જતા ઔરંગા નદીના પાણી ઘૂસી જતા ત્રણ ઘરની દિવાલો ધસી પડી

ત્રણ પરિવારો બેઘર બની ગયા, તમામને સેલ્‍ટર હોમમાં ખસેડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વલસાડ જિલ્લામાં અતિવૃષ્‍ટિએ જ્‍યાં ત્‍યાં વિનાસ વેરવો શરૂ કરી દીધો છે. ખાસ કરીને વલસાડ શહેરના આજુબાજુ તથા તળના ગામોમાં ઔરંગા નદી પુરના પાણી અનેક વિસ્‍તારોમાં ઘૂસી જઈને જનજીવન ઠપ્‍પ કરીને સારી એવી ખાનાખરાબી-તારાજી સર્જી દીધી છે. તેવી વધુ એક ઘટનાનો સોમવારે રાત્રે વધારો થયો છે. વલસાડના ભાગડાખુર્દ ગામે વહેતી ઔરંગા નદીના પાણી પ્રોટેકશન વોલ ધસી પડતા ગામમાં ઘૂસી ગયા હતા. કિનારાના ત્રણ ઘરની પાછળની દિવાલો ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ બાદ પ્રશાસન દોડતું થઈ ગયું હતું.
વલસાડના ભાગડાખુર્દ ગામે ત્રણ મકાનની દિવાલો તૂટી પડતા ત્રણ પરિવારો રાતમાં બેઘર થઈ ગયા હતા. મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ ગામમાં ધસી ગયા હતા. ત્રણેય પરિવારના 20 જેટલા સભ્‍યોને તાત્‍કાલિક સેલ્‍ટર હોમમાં ખસેડાયા હતા. ભોગ બનનાર પરિવારોએ વળતરની માંગ કરી હતી તેમજ પુરના પાણીની સમસ્‍યાઅંગે દરેક નેતાઓને લેખિત-મૌખિક માંગણી કરી છે પરંતુ સમસ્‍યાનો કાયમી ઉકેલ હજુ સુધી થયો નથી.

Related posts

દાનહ-સાયલી ગામે અજાણ્‍યો યુવાન બેહોશીની હાલતમા મળી આવ્‍યો

vartmanpravah

સરીગામ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટની પ્રશંસનીય શિક્ષણલક્ષી કામગીરીથી ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છવાયેલી ખુશી

vartmanpravah

વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય તંત્રની 581 ટીમો કાર્યરત

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

પારડીમાં જુના પ્રેમ સંબંધને લઈ થઈ મારા મારી

vartmanpravah

ચીખલીના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં વિભાગની સહાયકારી યોજનાઓની અપાયેલી જાણકારી

vartmanpravah

Leave a Comment