Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરતા બાજુમાં રહેતા લોકો માટે મોતનો કૂવો બનવાની સંભાવના

ગામલોકોમાં ફાટેલો વિરોધનો વંટોળઃ એજન્‍સી દ્વારા તળાવને ઊંડું કરાતું હોવાની ચર્ચા વચ્‍ચે તળાવની માટીનું બેધડક વેચાણ થઈ રહ્યું હોવાની પણ ગામલોકોની બૂમરાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરવાનીથયેલી ચેષ્‍ટાથી ગામલોકોમાં ભારે વિરોધનો વંટોળ ફેલાયો છે અને તળાવની પાળની બાજુમાં રહેતા વારલીવાડના રહેવાસીઓ માટે તળાવ અકસ્‍માતનું કેન્‍દ્ર બને એવી ભીતિ પણ પ્રગટ થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વારલીવાડ તળાવના કિનારે ગામલોકોના ઘર આવેલા છે. તે કિનારાથી 30 ફૂટ જેટલું ઊંડું ખોદવાથી ગામલોકોને મોતનું તળાવ બનવાનો ડર સતાવી રહ્યો છે. આ તળાવ ઊંડું કરવાની કામગીરી એજન્‍સી દ્વારા કરાતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ગામલોકોના જણાવ્‍યા પ્રમાણે તળાવમાંથી નિકળતી માટીનું વેચાણ પણ ખાનગી ધોરણે થઈ રહ્યું છે. તેથી આ સમગ્ર કાર્યવાહી ઉપર સંઘપ્રદેશ પ્રશાસન સ્‍વયં તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરે એવી માંગ પણ પ્રબળ બની છે.

Related posts

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

vartmanpravah

દમણ-દીવના ઓરિસ્‍સાવાસીઓએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

vartmanpravah

બાકી વેરા ગ્રાહકો પર લાલ આંખ કરતી પારડી પાલિકા: વારંવાર નોટિસ આપ્‍યા બાદ વેરો ન ભરતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

મધ્‍યપ્રદેશના મહામહિમ રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે ચીખલીના ટાંકલ ગામે સહકારી અગ્રણીના નિવાસ સ્‍થાને સ્‍થાનિક આગેવાનો સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment