April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રમઝાન ઈદ અને રામ નવમીના તહેવારની શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવા પારડી પોલીસ સ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.10: આગામી રમઝાન ઈદ અને રામનવમીના તહેવારને ધ્‍યાનમાં રાખીને પારડી પોલીસ સ્‍ટેશન ખાતે પી.આઈ. જી.આર. ગઢવીની અધ્‍યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતુ. જેમાંપોલીસ દ્વારા તહેવારોની કોમી એખલાસની ભાવના તથા શાંતિપૂર્ણ માહોલ સાથે ઉજવણી કરવા અપીલ કરાઈ હતી. ઉપરાંત તહેવારમાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તથા કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને માટે જરૂરી સૂચના સાથે માર્ગદર્શન આપ્‍યું હતું.
પારડી પોલીસ સ્‍ટેશન ખાતે પી.આઈ જી.આર.ગઢવી ની અધ્‍યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું બુધવાર 10.4.2024 ના રોજ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પારડીના પ્રેમલ ચૌહાણ, જિગ્નેશ પટેલ, અનવર મણિયાર, ઇમોદ્દીન સૈયદ, કોલકના અઝીઝભાઈ કોલકર, સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ બેઠકમાં રમઝાન ઈદ સહિત રામનવમીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે અને કોમી એકતાનું ઉદાહરણ પારડીમાં કાયમ બની રહે તેમજ કોઈ અશાંતિ ડહોળાય નહિ અને આચારસંહિતા લાગુ હોવાથી કોઈ નાના મોટા બનાવ ન બને તે માટે પણ સૂચન કરવામાં આવ્‍યું હતું. આ સાથે રામનવમી તેમજ રમઝાન ઇદ ના તહેવારને અનુસંધાને જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. અને સોશિયલ મીડિયાની ખોટી અફવાઓથી દૂર રહેવા સમજ કરાઈ હતી.

Related posts

ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિની પ્રશંસનીય કામગીરી

vartmanpravah

વાપી ખાતે આવેલ આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

vartmanpravah

યુઆઈએ દ્વારા આયોજિત એક્ષ્પોએ જમાવેલું આકર્ષણ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે પાટા ક્રોસ કરતા લોકોને જાગૃત કરવા માટે યમદૂતનો નુક્કડ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આહવામાં પાર તાપી રિવરલીંક યોજના વિરુદ્ધ જાહેરસભા બાદ રેલીમાં હજારો આદિવાસીઓ ઉમટયા: પાર તાપી રિવરલીંક યોજનાનો વિરોધ પૂર્વ આદિવાસી પટ્ટી વિસ્‍તારમાં જોર પકડી રહ્યો છે

vartmanpravah

Leave a Comment