April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

ચણોદથી મોટી સંખ્‍યામાં રેલી નિકળી વિવિધ રાજમાર્ગો ઉપર રેલી ફરી હતી

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની આજે રવિવારે વાપીમાં જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
ચણોદ આંબેડકર ચોક પાસે હજારોની સંખ્‍યામાં લોકો એકઠા થયા હતા. શણગારેલા વાહનો સાથે જય ભીમરાવના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી ભડકમોરા-ચાર રસ્‍તા-ગુંજન થઈને પરત ચણોદ આવી હતી. વાપી પોલીસના ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ નિકળેલી રેલી શાંતિપૂર્વ માહોલમાં પુર્ણ થઈ હતી. ભારતવર્ષ આજે પણ ડો.બાબા સાહેબને કૃતાર્થ છે. રાષ્‍ટ્રનું બંધારણ અને તેમની દિર્ઘ દૃષ્‍ટિ આધિન આજે લોકશાહી 75ના વર્ષ તેમના રચેલા બંધારણ આધિન પુર્ણ કર્યા છે. વાપીમાં ડો.બાબા સાહેબની જન્‍મ જયંતિ ખુબ ધૂમધામ અને હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણ વચ્‍ચે ઉજવાઈ હતી.

Related posts

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

આજરોજ શ્રી કનુભાઈ દેસાઈને….

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વલસાડ જુજવામાં જંગી જનસભા સંબોધી

vartmanpravah

લોકસભા ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ખાંડા-ધરમપુરમાં પધારેલા પૂ.મોરારી બાપુના આશીર્વાદ લીધા

vartmanpravah

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah

Leave a Comment