April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવ લોકસભા બેઠકની 1998ની ચૂંટણી માછી સમાજ વિરૂદ્ધ કોળી પટેલ સમાજની બનીહતી

જિ.પં.ના તત્‍કાલિન અધ્‍યક્ષ ડાહ્યાભાઈ પટેલે પોતાની દમણ-દીવ વિકાસ પાર્ટીની રચના કરી હતીઃ ચૂંટણી લોહિયાળ પણ બની હતી

1998ની ચૂંટણી જાહેર થવા પહેલાં દમણ-દીવ બેઠકના કોંગ્રેસના સાંસદ ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), દાનહના તત્‍કાલિન કોંગ્રેસના સાંસદ મોહનભાઈ ડેલકર સહિતના સાંસદોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપની કંઠી બાંધી હતી

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે સેન્‍સ લેવા આવેલા ભાજપના પ્રભારી સુરતના અરવિંદભાઈ ગોદીવાલાએ તે સમયે ફરી એકવાર દેવજીભાઈ ટંડેલને ટિકિટ અપાવવા ભજવી હતી મુખ્‍ય ભૂમિકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : 1996માં યોજાયેલ ચૂંટણીમાં કોઈપણ એક પક્ષને બહુમતિ નહીં મળતાં શરૂઆતના 13 દિવસ માટે વડાપ્રધાન તરીકે શ્રી અટલ બિહારી વાજપેયી બન્‍યા હતા, ત્‍યારબાદ વાજપેયી સરકારનું પતન થતાં જનતા દળના એચ.ડી.દેવગૌડા પ્રધાનમંત્રી તરીકે આરૂઢ થયા હતા. શ્રી એચ.ડી.દેવગૌડાને પણ રાજીનામું આપવાની ફરજ પડતાં તેમના સ્‍થાને શ્રી આઈ.કે.ગુજરાલ પ્રધાનમંત્રી બન્‍યા હતા. પરંતુ આ સરકાર લાંબો સમય ટકી શકી નહીં હતી અને દેશ ફરી પાછો મધ્‍યસત્ર ચૂંટણી તરફ ધકેલાયો હતો.
દમણ અને દીવના તે સમયના સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ને માત્રદોઢ વર્ષનો સમય મળ્‍યો હતો. તેઓ કોંગ્રેસના સાંસદ હતા, પરંતુ તત્‍કાલિન કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી સીતારામ કેસરીના અક્કડ વલણથી તંગ આવી શ્રી ગોપાલ દાદા અને દાદરા નગર હવેલીના તે સમયના સાંસદ શ્રી મોહનભાઈ ડેલકર સહિત કેટલાક સાંસદોએ કોંગ્રેસને અલવિદા કરી ભાજપની કંઠી બાંધી હતી.
દમણ અને દીવમાં ભાજપે ટિકિટ આપવા પહેલાં પ્રભારી તરીકે સુરતના શ્રી અરવિંદ ગોદીવાલાને દમણ મોકલ્‍યા હતા. તેમણે ફરી એકવાર શ્રી દેવજીભાઈ ટંડેલના નામ ઉપર મહોર મારતાં 1998ની ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર બન્‍યા હતા.
લોકસભાની દમણ અને દીવ બેઠક માટે કોંગ્રેસની ટિકિટ લેવા માટે જ તૈયાર નહીં હતું. તત્‍કાલિન દમણ અને દીવ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી ડાહ્યાભાઈ પટેલે દમણ અને દીવ વિકાસ પાર્ટીની રચના કરી હતી અને પહેલી વખત દમણમાં માછી સમાજ વિરૂદ્ધ કોળી પટેલ અને ખેડૂત સમાજનો જુવાળ પેદા કરાયો હતો.
1998ની દમણ અને દીવ બેઠકની ચૂંટણી લોહિયાળ બની હતી. દમણના ઉદ્યોગપતિ અને શ્રી ડાહ્યાભાઈ પટેલના ખાસ સમર્થક તરીકે ઉભરેલા શ્રી અનિલ અગ્રવાલ ઉપર ચૂંટણીના દિવસે જ હુમલો થતાં શ્રી ડાહ્યાભાઈ પટેલનું ગણિત બગડી ગયું હતું અને તેમનો પરાજય થયો હતો.
1998ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી દેવજીભાઈ ટંડેલને 21,649 મતમળ્‍યા હતા. તેની સામે દમણ-દીવ વિકાસ પાર્ટી તરફથી અપક્ષ ઉભા રહેલાં શ્રી ડાહ્યાભાઈ પટેલને 20,413 મત મળ્‍યા હતા જ્‍યારે દીવથી ઉભા રહેલા ડૉ. મેઘજી ભગવાન ચારણિયાને 8,417 અને કોંગ્રેસના ડૉ. જીવણ પ્રભાકરને માત્ર 1020 મત મળ્‍યા હતા.

Related posts

મોટી દમણ શાકભાજી માર્કેટમાં ભરાયેલા ઘૂંટણસમાણા પાણીઃ વિક્રેતાઓને પડી રહેલી હાલાકી

vartmanpravah

વલસાડ કોપરી ફાટક ઉપર બસ ફસાતા મુસાફરોના જીવ પડીકે બંધાયા : ટ્રેન અટકી જતા મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઝળહળતા સિતારા તરીકે ઉભરેલા અનંત પટેલ

vartmanpravah

અમદાવાદના ગોઝારા અકસ્‍માતની ઘટનાબાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કોમ્‍બિંગ હાથ ધરી વાહનચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી

vartmanpravah

સંઘપ્રદેશના દાનહના ગુજરાતી માધ્‍યમના શિક્ષક શ્‍યામ સુંદર રામચંદ ખાનચંદાનીનું મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા સન્‍માન

vartmanpravah

અંબાચ ગામે એક્‍સપાયરી ડેટના ખાદ્ય પદાર્થો ઝડપાયા

vartmanpravah

Leave a Comment