(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : લોકસભાની 2024ની ચૂંટણીમાં દાદરા નગર હવેલી બેઠકમાં 6 ઉમેદવારો મેદાનમાં હતા જેમાં આજે ઉમેદવારીપત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે એક અપક્ષ ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્રક પરત ખેંચતાં હવે પાંચ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આજે પરત ખેંચનારા અપક્ષ ઉમેદવારમાં શ્રી રાજેશભાઈ ગાંગોડેનો સમાવેશ થાય છે.
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના શ્રી અજીત રામજીભાઈ માહલા, ભારતીય જનતા પાર્ટીના ડેલકર કલાબેન મોહનભાઈ, બહુજન સમાજ પાર્ટીના બોરસા સંદીપભાઈ એસ., ભારત આદિવાસી પાર્ટીના કુરાડા દિપકભાઈ અને અપક્ષ શ્રી શૈલેષભાઈ વરઠાનો સમાવેશ થાય છે.