Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલ ત્રિ-દિવસીય આસામ રાજ્‍યના પ્રવાસે

આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે વિશાલભાઈ ટંડેલે કાર્યકર્તાઓ સાથે મહા જન સંપર્ક અભિયાનના સંદર્ભમાં કરેલી બેઠકઃ આસામના દરેક 350 મંડળોના અધ્‍યક્ષ, 39 જિલ્લા પ્રમુખો અને પ્રદેશ પદાધિકારીઓ સાથે દિવસભર બેઠક કરી ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે. લક્ષ્મણે આપેલા વધારાના 4 કાર્યક્રમોના સંદર્ભમાં પણ આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ગૌહાટી, તા.07 :ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ મોદી સરકારના 9 વર્ષની ઉજવણી માટે ‘જન સંપર્ક સે જન સમર્થન’ અભિયાનના આપેલા એલાનની કડીમાં આસામ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે પોતાના ત્રિ-દિવસીય આસામ પ્રવાસ દરમિયાન પહેલાં દિવસે ભાજપ ઓબીસી મોર્ચાના પદાધિકારીઓ સાથે ભાજપ મુખ્‍યાલયમાં બેઠક કરી મહા જનસંપર્ક અભિયાન અંગે ચર્ચા કરી હતી.
ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો.કે. લક્ષ્મણે ઓબીસી મોર્ચાની દેશભરમાં એક કરોડ લાભાર્થીઓનો સંપર્ક કરવા, જિલ્લા સ્‍તર ઉપર સામાજિક સંમેલન યોજવા, પ્રદેશ સ્‍તર ઉપર બુદ્ધિજીવીઓ સાથે સંવાદનો કાર્યક્રમ તથા દરેક જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવાના આ ચાર(4) કાર્યક્રમો વધારાના આપ્‍યા હતા.
આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી અને સંઘપ્રદેશના વરિષ્‍ઠ નેતા શ્રી વિશાલભાઈ ટંડેલે આસામ ભાજપના હેડ ક્‍વાર્ટર શ્રી અટલ બિહારી વાજપેયી ભવન ખાતે બેઠક કરી પોતાના ત્રણ દિવસના કાર્યક્રમોનું સમય પત્રક પણ નક્કી કરવામાં આવ્‍યું હતું. જેમાં બીજા દિવસે આસામ પ્રદેશના દરેક 350 મંડળોના અધ્‍યક્ષ, 39 જિલ્લા અધ્‍યક્ષ અને પ્રદેશ પદાધિકારીઓ સાથે પુરો દિવસ બેઠક કરી અભિયાનના કાર્યાન્‍વયન તથા ઓબીસી મોર્ચા દ્વારા કરાનારા વિશેષ 4 કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. આ બેઠક આસામ પ્રદેશ ભાજપ ઓબીસીના મોર્ચાના અધ્‍યક્ષ શ્રી અશ્વિની રાય સરકારના અધ્‍યક્ષસ્‍થાને યોજવામાં આવી હતી. જેમાં આસામ પ્રદેશ ઉપ પ્રમુખ અને ઓબીસી મોર્ચા રાજ્‍ય પ્રભારી શ્રી અજય કુમાર અને પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના પદાધિકારીઓ, સભ્‍યો અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ હાઈવે ઉપર ખાડામાં પટકાયેલ આર્મી અધિકારીઓની કાર સાથે ડમ્‍પર ભટકાતા અકસ્‍માત

vartmanpravah

દાનહ રેડક્રોસ શાળાના દિવ્‍યાંગ બાળકોએ દિવાળી પર્વ નિમિતે સુશોભનની વસ્‍તુઓનું જાતે નિર્માણ કરી તેના વેચાણ માટે સેલવાસ કલેક્‍ટર કચેરી પ્રાંગણમાં શરૂ કરેલો સ્‍ટોલ

vartmanpravah

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ ન.પા.ના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કાઉન્‍સિલરો સાથે બેઠક કરી નાણાં સચિવે ભણાવેલા સ્‍વચ્‍છતાના પાઠ

vartmanpravah

દાનહમાં ગાયોને ટક્કર મારી મોત નિપજાવવાનો સિલસિલો યથાવત્‌ રવિવારની રાત્રે અથાલ પાસે રસ્‍તા ઉપર બેસેલી ગાયોને ટ્રકચાલકે મારેલી ટક્કરમાં ચાર ગાયોના ઘટના સ્‍થળે જ થયેલા મોતઃ ત્રણને ગંભીર ઈજા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ન્‍યુ-ગુજરાત પેટર્નના આયોજન અંગે તાલુકા કક્ષાએ બેઠકો યોજાશે

vartmanpravah

Leave a Comment