December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલ ત્રિ-દિવસીય આસામ રાજ્‍યના પ્રવાસે

આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે વિશાલભાઈ ટંડેલે કાર્યકર્તાઓ સાથે મહા જન સંપર્ક અભિયાનના સંદર્ભમાં કરેલી બેઠકઃ આસામના દરેક 350 મંડળોના અધ્‍યક્ષ, 39 જિલ્લા પ્રમુખો અને પ્રદેશ પદાધિકારીઓ સાથે દિવસભર બેઠક કરી ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે. લક્ષ્મણે આપેલા વધારાના 4 કાર્યક્રમોના સંદર્ભમાં પણ આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ગૌહાટી, તા.07 :ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ મોદી સરકારના 9 વર્ષની ઉજવણી માટે ‘જન સંપર્ક સે જન સમર્થન’ અભિયાનના આપેલા એલાનની કડીમાં આસામ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે પોતાના ત્રિ-દિવસીય આસામ પ્રવાસ દરમિયાન પહેલાં દિવસે ભાજપ ઓબીસી મોર્ચાના પદાધિકારીઓ સાથે ભાજપ મુખ્‍યાલયમાં બેઠક કરી મહા જનસંપર્ક અભિયાન અંગે ચર્ચા કરી હતી.
ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો.કે. લક્ષ્મણે ઓબીસી મોર્ચાની દેશભરમાં એક કરોડ લાભાર્થીઓનો સંપર્ક કરવા, જિલ્લા સ્‍તર ઉપર સામાજિક સંમેલન યોજવા, પ્રદેશ સ્‍તર ઉપર બુદ્ધિજીવીઓ સાથે સંવાદનો કાર્યક્રમ તથા દરેક જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવાના આ ચાર(4) કાર્યક્રમો વધારાના આપ્‍યા હતા.
આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી અને સંઘપ્રદેશના વરિષ્‍ઠ નેતા શ્રી વિશાલભાઈ ટંડેલે આસામ ભાજપના હેડ ક્‍વાર્ટર શ્રી અટલ બિહારી વાજપેયી ભવન ખાતે બેઠક કરી પોતાના ત્રણ દિવસના કાર્યક્રમોનું સમય પત્રક પણ નક્કી કરવામાં આવ્‍યું હતું. જેમાં બીજા દિવસે આસામ પ્રદેશના દરેક 350 મંડળોના અધ્‍યક્ષ, 39 જિલ્લા અધ્‍યક્ષ અને પ્રદેશ પદાધિકારીઓ સાથે પુરો દિવસ બેઠક કરી અભિયાનના કાર્યાન્‍વયન તથા ઓબીસી મોર્ચા દ્વારા કરાનારા વિશેષ 4 કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. આ બેઠક આસામ પ્રદેશ ભાજપ ઓબીસીના મોર્ચાના અધ્‍યક્ષ શ્રી અશ્વિની રાય સરકારના અધ્‍યક્ષસ્‍થાને યોજવામાં આવી હતી. જેમાં આસામ પ્રદેશ ઉપ પ્રમુખ અને ઓબીસી મોર્ચા રાજ્‍ય પ્રભારી શ્રી અજય કુમાર અને પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના પદાધિકારીઓ, સભ્‍યો અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણના પ્રમુખ તરીકે અપૂર્વ પાઠકની વરણી

vartmanpravah

મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આદિવાસી ભવનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની શુક્રવારે યોજાનારી ગ્રામ સભા: ગ્રામ સભામાં દરેક ગ્રામવાસીઓને ઉપસ્‍થિત રહેવા સરપંચશ્રીએ કરેલી અપીલ

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે બુધવારે પણ રેલ વ્‍યવહાર ઉપર પડેલી અસર

vartmanpravah

Leave a Comment