January 25, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવ લોકસભા બેઠક ઉપર 7 ઉમેદવારો વચ્‍ચે જામનારો જંગઃ ભાજપ-કોંગ્રેસ અને નવસર્જન પાર્ટી સાથે અન્‍ય 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં

ઉમેદવારોને પ્રચાર માટે મળનારા 13 દિવસઃ 5મી મેના સાંજે પાંચ વાગ્‍યાથી બંધ થશે પ્રચારના બ્‍યુગલ

7મી મેના સવારે 7:00 વાગ્‍યાથી સાંજના 6:00 વાગ્‍યા સુધી પ્રદેશના લોકો પોતાના સાંસદને ચૂંટવા માટે મતાધિકારનો કરશે પ્રયોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: લોકસભાની દમણ અને દીવ બેઠક માટે આજે ઉમેદવારીપત્રક ખેંચવાના અંતિમ દિવસે એકપણ ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્રક નહીં ખેંચતા હવે આ બેઠક ઉપર 7 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી શ્રી કેતન ડાહ્યાભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના શ્રી લાલુભાઈ બાબુભાઈ પટેલ, નવસર્જન ભારત પાર્ટીના શ્રી ઉમેશ પટેલ, અપક્ષો તરીકે પટેલ ઉમેશભાઈ બાબુભાઈ, પટેલ ઉમેશભાઈ બાબુ, શ્રી ઈદરીશ મુલ્લા અને સકિલ લતિફ ખાનનો સમાવેશ થાય છે.
અપક્ષ ઉમેદવારોને પોતાનું ચૂંટણી પ્રતિક પણ ફાળવી દેવાયું છે. હવે આજથી ઉમેદવારોને પ્રચાર માટે 13 દિવસ મળશે. તા.5મી મેના સાંજે 5:00 વાગ્‍યાથી ચૂંટણી પ્રચાર બંધ થશે અને 7મી મેના રોજ સવારે 7:00 વાગ્‍યાથી સાંજના 6:00 વાગ્‍યા સુધી લોકો પોતાનામતાધિકારનો પ્રયોગ કરી સાંસદને ચૂંટવા માટે મતદાન કરશે.

Related posts

દાનહ અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ

vartmanpravah

વલસાડ જિલ્લાના મોરાઈ, ભિલાડ અને ઉદવાડાને સ્‍માર્ટ વિલેજમાં સામવેશ કરાયો

vartmanpravah

છેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જા રાખનારા ચીખલી રાનવેરી કલ્લાના ૪ ઈસમો સામે નોંધાયેલો ગુનો

vartmanpravah

લોકસભાની 2004ની ચૂંટણીમાં દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર (સ્‍વ.) અનિલભાઈ પટેલના પ્રચાર માટે આવ્‍યા હતા નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

સરીગામ નજીકના ગામની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્‍કર્મ આચરનાર યુવાન સામે ગુનો દાખલ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય ચાલુ થનારી તપાસ

vartmanpravah

Leave a Comment