April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સ્‍માર્ટ મીટર મુદ્દે આંશિક રાહત

અમલીકરણના પ્રથમ તબક્કામાં સરકારી કચેરી, ઔદ્યોગિક એકમ ત્‍યારબાદ રહેણાંક વિસ્‍તારમાં સ્‍માર્ટ મીટર યોજના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ગુજરાત રાજ્‍યની ચારેય વિજ કંપનીઓ સાથે દક્ષિણ ગુજરાત વિજ કંપનીએ પણ પોતાના કાર્યક્ષેત્રમાં સ્‍માર્ટ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્‍ટ હાથ ધર્યો છે. તેથી ઠેર ઠેર રહેણાંક એરીયામાં સ્‍માર્ટ મીટરનો પુરજોશથી વિરોધ શરૂ થઈ ગયો છે. સુરત પીપલોદમાં વિજ કંપનીએ સ્‍માર્ટ મીટર લગાડવાના શરૂ કર્યા હતા પરંતુ વધારે પૈસા કપાતા હોવાની ફરિયાદ બાદ હાલ પુરતું મીટર લગાવવાનું મુલતવી રખાયું છે. જો કે વલસાડ જિલ્લામાં હાલમાં સ્‍માર્ટ મીટર લગાડવાની કોઈ યોજના નથી તેવા નિર્ણય થકી લોકોરાહત અનુભવી રહ્યા છે.
સ્‍માર્ટ મીટર લગાડવાનો વિજ કંપનીઓના નિર્ણય બાદ ચોમેર વિરોધનો સુર ભડકી રહ્યો છે ત્‍યારે વૈકલ્‍પિક રસ્‍તા વિજ કંપની શોધી રહી છે. એક તબક્કે વિરોધ ઠારવા માટે જુના મીટરની બાજુમાં સ્‍માર્ટ મીટર લગાડવા જેવો નિર્ણય પણ લેવાયો છે જેથી ગ્રાહકને પ્રોપર વિજ વપરાશની સમજણ આપી શકે. સ્‍માર્ટ મીટર યોજનાના અમલ માટે વાપી રૂરલ વિજ કંપનીના ડે.ઈજનેરના જણાવ્‍યા મુજબ વલસાડ જિલ્લામાં હાલ પુરતી સ્‍માર્ટ મીટર લગાડવાની કોઈ યોજના નથી. જો કે પ્રાયોગીક ધોરણે પ્રથમ તબક્કામાં સ્‍માર્ટ મીટર સરકારી કચેરી અને ઔદ્યોગિક એકમોમાં લગાડવામાં આવશે. ત્‍યારબાદ રહેણાંક વિસ્‍તારમાં લગાડવામાં આવશે તેવુ વિજ કંપનીના સુત્રો પાસેથી પણ જાણવા મળ્‍યું છે. ઉલ્લેખનીય છે કે, સ્‍માર્ટ મીટર યોજના કેન્‍દ્ર સરકારની છે તેથી રાજ્‍ય સરકાર ક્રમશઃ રીતે અમલમાં લાવવાનું વિચારી રહી છે.

Related posts

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

vartmanpravah

જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં લંડન પરિવાર દ્વારા પુણ્‍યતિથીએ આનજ વિતરણ

vartmanpravah

સંજાણની અમર ટી કંપનીનું રસ્‍તા વિવાદી પ્રકરણ નિર્ણાયક તબક્કામાં

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકમાં મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયકઃ દીવ જિલ્લામાં મહિલા મતદારોની બહુમતિ: દીવ જિલ્લાના કુલ 36,866 મતદારો પૈકી 20,149 મહિલા મતદારો

vartmanpravah

24 પુસ્‍તકોનું સર્જન કરનારપારડીના કવિયિત્રી પદ્માક્ષી પટેલનું કરાયું અદકેરું સન્‍માન

vartmanpravah

Leave a Comment