Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેંટલાવ ઓવર બ્રિજ પર અજાણ્‍યા વાહન ચાલકે મોટર સાયકલને અડફટે લેતા બે યુવાનોના મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29: કપરાડા તાલુકાના રોહિયાળ જંગલ મોર ચવડા ફળિયા ખાતે રહેતા રતનભાઈ રાજીયાભાઈ ધનગરા પારડી તળાવમાં પડાવ નાંખી ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
તારીખ 28.5.2024 ના રોજ વાપી ખાતે કેરી પાડવાનું કામ કરતા પોતાના મોટા પુત્ર ચેતને પિતા રતનભાઈને સાંજે મળવા આવવાનું જણાવી પોતાના બે મિત્રો સાથે ત્રણેય જણા વાપી નામધાથી પોતાની યુનિકોન મોટરસાયકલ નંબર જીજે 15 ડીક્‍યુ 4875 લઈ ચેતન રતનભાઈ ધનગરા ઉંમર વર્ષ 21 રહે.રોહિયાળ જંગલ, મોર ચવડા ફળિયા, કપરાડા, 2.મણિલાલ શીવાભાઈ કોંગીલ ઉંમર વર્ષ 23 રહે.રોહિયાળ જંગલ, મોર ચવડા ફળિયા, કપરાડા, 3.નિલેશ સુભાષભાઈ બામને ઉંમર વર્ષ 21 રહે.ચિંચવહળ ગામ, બેરીપાડા, ત્રંબકેશ્વર, નાશિક ત્રણેય મિત્રો પારડી પિતા રતનભાઈને મળવા આવ્‍યા હતા. પરંતુ પિતા રતનભાઈ બજારમાં ગયા હોય ત્રણેય મિત્રો પરતનામધા આવવા માટે રવાના થયા હતા આ દરમિયાન રેટલાવ પોલીસ ચોકીનો ઓવરબ્રિજ ઉતરતા વલસાડથી વાપી તરફ જતા હાઈવે નંબર 48 પર કોઈ અજાણ્‍યા વાહન ચાલકે પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે વાહન હંકારી યુનિકોન મોટરસાયકલને અડફતે લેતા ચેતનભાઈને પેટ તથા શરીરના ભાગે ગંભીર ઈજા થતાં સ્‍થળ પર જ મોત નિપજ્‍યું હતું. આમ પિતાને મળવા આવેલ પુત્રને પિતા તો મળ્‍યા ન હતા પરંતુ મોત મળ્‍યું હતું. એવી જ રીતે નિલેશને પણ જમણા પગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હતું. જ્‍યારે મણિલાલભાઈનો ચમત્‍કારિક બચાવ થયા હતો. પિતા રતનભાઈએ પુત્ર ચેતનની લાશ ઓરવાડ પીએસસી ખાતે તથા નિલેશની લાશ વલસાડ સિવિલ ખાતે પી.એમ.માં મુકયા બાદ ચમત્‍કારિક રીતે બચી ગયેલ મણીલાલભાઈ સાથે આવી અજાણ્‍યા વાહન ચાલક વિરુદ્ધ પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

ધરમપુર વન વિભાગ દ્વારા ગ્રામજનોને જંગલી જાનવરો અને સાપ અંગે પ્રોજેક્‍ટર દ્વારા માહિતી અપાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના મકાનમાં સોલર પેનલ લગાવી ગ્રીન એનર્જીના ઉત્‍પાદનનો કરેલો પ્રારંભ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક નિલેશ ગુરવની દિલ્‍હી બદલી : દિલ્‍હીથી વિકાસ અહલાવતની સંઘપ્રદેશ થ્રીડીમાં બદલી

vartmanpravah

દમણ-દીવના ઓરિસ્‍સાવાસીઓએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

Leave a Comment