September 12, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

1999 અને 2004ની લોકસભા ચૂંટણીમાં મોહનભાઈ ડેલકર અપક્ષ તરીકે વિજેતા બન્‍યા હતા, પરંતુ સમયસર કોઈ એક પક્ષને ટેકો આપવા વિલંબ કરતા બંને વખત ગુમાવી હતી અણમોલ તક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: કેન્‍દ્રમાં જ્‍યારે કોઈ પક્ષને સ્‍પષ્‍ટ બહુમતિ નહીં મળી હોય પરંતુ પાતળી સરસાઈ સાથે સરકાર બનાવી શકવાની સ્‍થિતિમાં હોય ત્‍યારે અપક્ષ ચૂંટાયેલા સાંસદો સમયસર યોગ્‍ય નિર્ણય લેવા નિષ્‍ફળ જાય છે ત્‍યારે તેઓ કાયમના માટે તક ચૂકી જતા હોવાનો ઇતિહાસ છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના તત્‍કાલિન સાંસદ મોહનભાઈ ડેલકરે 1999ની ચૂંટણીમાં અપક્ષ તરીકે વિજેતા બન્‍યા બાદ એન.ડી.એ.ને સમયસર ટેકો જાહેર કરવા થાપ ખાધી હોવાની સામાન્‍ય માહિતી છે. 1999માં વાજપેયી સરકારના ગઠન બાદ શ્રી મોહનભાઈ ડેલકરે એન.ડી.એ.ને પોતાનો બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. ત્‍યારબાદ 2004માં પણ શ્રી મોહનભાઈ ડેલકર કોંગ્રેસની યુપીએ સરકારને સમયસર ટેકો જાહેર કરી નહીં શક્‍યા હતા. પાછળથી તેમણે યુ.પી.એ. સરકારને પોતાનો ટેકો આપ્‍યો હતો. પરંતુ સમયસર ટેકો આપવાની તક ચૂકી જતાં ખુબ જ સિનિયર સાંસદ હોવા છતાં શ્રી મોહનભાઈ ડેલકર જીવનપર્યંત મંત્રી પદથી વંચિત રહ્યા હતા. જેની ખોટ દાદરાનગર હવેલીને પણ પડી રહી છે.

Related posts

આટિયાવાડ કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તાના સમારકામ માટે પીડબ્‍લ્‍યુડીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરતા મંડળ ભાજપ પ્રમુખ તિમિર પટેલ

vartmanpravah

આજે કલેક્‍ટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે

vartmanpravah

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

vartmanpravah

સામરવરણીની એક દુકાનમાં ચોરી કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેનાં હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદીના જૂના પુલ બંધ કરી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ

vartmanpravah

Leave a Comment