April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

1999 અને 2004ની લોકસભા ચૂંટણીમાં મોહનભાઈ ડેલકર અપક્ષ તરીકે વિજેતા બન્‍યા હતા, પરંતુ સમયસર કોઈ એક પક્ષને ટેકો આપવા વિલંબ કરતા બંને વખત ગુમાવી હતી અણમોલ તક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: કેન્‍દ્રમાં જ્‍યારે કોઈ પક્ષને સ્‍પષ્‍ટ બહુમતિ નહીં મળી હોય પરંતુ પાતળી સરસાઈ સાથે સરકાર બનાવી શકવાની સ્‍થિતિમાં હોય ત્‍યારે અપક્ષ ચૂંટાયેલા સાંસદો સમયસર યોગ્‍ય નિર્ણય લેવા નિષ્‍ફળ જાય છે ત્‍યારે તેઓ કાયમના માટે તક ચૂકી જતા હોવાનો ઇતિહાસ છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના તત્‍કાલિન સાંસદ મોહનભાઈ ડેલકરે 1999ની ચૂંટણીમાં અપક્ષ તરીકે વિજેતા બન્‍યા બાદ એન.ડી.એ.ને સમયસર ટેકો જાહેર કરવા થાપ ખાધી હોવાની સામાન્‍ય માહિતી છે. 1999માં વાજપેયી સરકારના ગઠન બાદ શ્રી મોહનભાઈ ડેલકરે એન.ડી.એ.ને પોતાનો બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. ત્‍યારબાદ 2004માં પણ શ્રી મોહનભાઈ ડેલકર કોંગ્રેસની યુપીએ સરકારને સમયસર ટેકો જાહેર કરી નહીં શક્‍યા હતા. પાછળથી તેમણે યુ.પી.એ. સરકારને પોતાનો ટેકો આપ્‍યો હતો. પરંતુ સમયસર ટેકો આપવાની તક ચૂકી જતાં ખુબ જ સિનિયર સાંસદ હોવા છતાં શ્રી મોહનભાઈ ડેલકર જીવનપર્યંત મંત્રી પદથી વંચિત રહ્યા હતા. જેની ખોટ દાદરાનગર હવેલીને પણ પડી રહી છે.

Related posts

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

આસ્‍થા : દ.ગુજરાતમાં સૌ પ્રથમ વાપીના મહાકાળી મંદિરમાં શામળાજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

vartmanpravah

સ્‍કિલ ઈન્‍ડિયા ‘કૌશલ ભારત, કુશલ ભારત’ અંતર્ગત દમણની આલ્‍કેમ લેબોરેટરીઝની આવકારદાયક પહેલઃ મહિલાઓના સ્‍વાવલંબન કાર્યક્રમનો આરંભ

vartmanpravah

મારી માટી-મારો દેશ અભિયાનઃ વલસાડમાં નવી પહેલ, ધરાસણાના સખી મંડળને દીવા અને કળશ થકી આજીવિકા મળી

vartmanpravah

દમણ અને દાનહના એસ.પી.ની આંતરિક બદલીઃ દમણના એસ.પી. તરીકે રાજેન્‍દ્ર મીણા અને દાનહમાં અમિત શર્મા

vartmanpravah

Leave a Comment