October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ટ્રાફિક અડચણરૂપ લારીગલ્લા પાલિકાએ હટાવ્‍યા

શહેરના મોટાભાગના રોડો પરથી ટ્રાફિકને અડચણરૂપ લારીગલ્લા દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્‍યા વધી રહી છે. પીક અવરમાં વાહન ચલાવવા કે ચાલવાની પણ જગ્‍યા મળતી નથી તેથી ટ્રાફિકની વારંવાર ફરિયાદો ઉઠતી રહેલી. તેથી વલસાડ નગરપાલિકાએ આઝે રોડ વચ્‍ચે અડચણરૂપ લારીગલ્લા હટાવાય હતા.
કલેક્‍ટરના આદેશ બાદ પાલિકા એક્રોચમેન્‍ટ અધિકારી મહેશભાઈ ચૌહાણ અને પાલિકા સ્‍ટાફે ટ્રેક્‍ટરો, મજુરો સાથે રોડ ઉપરના અડચણરૂપ લારીગલ્લા શહેરના મોટાભાગના રોડ ઉપરથી હટાવાયા હતા. ક્‍યાંક લારીગલ્લા વાળાનો વિરોધ જોવા મળ્‍યો હતો પરંતુ પાલિકાએ કોઈપણ ફરિયાદ કે રજૂઆત ધ્‍યાને લીધા સિવાય શહેરને લારીગલ્લા મુક્‍ત કર્યું હતું. લોકોના દબાણ કે રજૂઆત બાદ અવારનવાર થતી આ કામગીરીના બે-ચાર દિવસ બાદ ફરી લારીગલ્લા પાલિકા સ્‍ટાફની રહેમનજર હેઠળ કાર્યરત થઈ જતા હોય નવું દબાણ થાય ત્‍યારે પાલિકા આંખ આડા કાન કરતી રહે છે. પરિણામે વલસાડનીટ્રાફિક સમસ્‍યા નિરંતર પેચીદી બનતી રહે છે.

Related posts

દેહરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની ગંભીર બેદરકારી સામે પંચાયતના હોદ્દેદારોની રજૂઆત

vartmanpravah

‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શનિવારે જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલઃ ઈન્‍ડિયા દિવસ તરીકે ઉજવાશે

vartmanpravah

મસાટથી માલસામાન ભરેલ ટેમ્‍પોની ચોરીના બે આરોપીઓની દાનહ પોલીસે ધરપકડ કરી

vartmanpravah

દાનહમાં પોલીસના અમાનવીય કૃત્ય અંગે ગોર બંજારા સમાજ દ્વારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત મિસ.વિધિ વાઘેલા દ્વારા ‘‘ઇન્‍ટરવ્‍યૂ કેવી રીતે આપી શકાય” તે વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

Leave a Comment