Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ટ્રાફિક અડચણરૂપ લારીગલ્લા પાલિકાએ હટાવ્‍યા

શહેરના મોટાભાગના રોડો પરથી ટ્રાફિકને અડચણરૂપ લારીગલ્લા દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્‍યા વધી રહી છે. પીક અવરમાં વાહન ચલાવવા કે ચાલવાની પણ જગ્‍યા મળતી નથી તેથી ટ્રાફિકની વારંવાર ફરિયાદો ઉઠતી રહેલી. તેથી વલસાડ નગરપાલિકાએ આઝે રોડ વચ્‍ચે અડચણરૂપ લારીગલ્લા હટાવાય હતા.
કલેક્‍ટરના આદેશ બાદ પાલિકા એક્રોચમેન્‍ટ અધિકારી મહેશભાઈ ચૌહાણ અને પાલિકા સ્‍ટાફે ટ્રેક્‍ટરો, મજુરો સાથે રોડ ઉપરના અડચણરૂપ લારીગલ્લા શહેરના મોટાભાગના રોડ ઉપરથી હટાવાયા હતા. ક્‍યાંક લારીગલ્લા વાળાનો વિરોધ જોવા મળ્‍યો હતો પરંતુ પાલિકાએ કોઈપણ ફરિયાદ કે રજૂઆત ધ્‍યાને લીધા સિવાય શહેરને લારીગલ્લા મુક્‍ત કર્યું હતું. લોકોના દબાણ કે રજૂઆત બાદ અવારનવાર થતી આ કામગીરીના બે-ચાર દિવસ બાદ ફરી લારીગલ્લા પાલિકા સ્‍ટાફની રહેમનજર હેઠળ કાર્યરત થઈ જતા હોય નવું દબાણ થાય ત્‍યારે પાલિકા આંખ આડા કાન કરતી રહે છે. પરિણામે વલસાડનીટ્રાફિક સમસ્‍યા નિરંતર પેચીદી બનતી રહે છે.

Related posts

ચીખલી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ કારોબારી અને ન્‍યાય સમિતિઓની અધ્‍યક્ષોની વરણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે કચીગામ અને ભીમપોરમાં બાલવાડીના ઉદ્‌ઘાટન કરાયા

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવનું ગૌરવ

vartmanpravah

પ્રદેશ ભાજપના પ્રભારી વિનોદ સોનકરની પ્રદેશના યુવા આદિવાસી નેતા સની ભીમરાએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment