November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ટ્રાફિક અડચણરૂપ લારીગલ્લા પાલિકાએ હટાવ્‍યા

શહેરના મોટાભાગના રોડો પરથી ટ્રાફિકને અડચણરૂપ લારીગલ્લા દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્‍યા વધી રહી છે. પીક અવરમાં વાહન ચલાવવા કે ચાલવાની પણ જગ્‍યા મળતી નથી તેથી ટ્રાફિકની વારંવાર ફરિયાદો ઉઠતી રહેલી. તેથી વલસાડ નગરપાલિકાએ આઝે રોડ વચ્‍ચે અડચણરૂપ લારીગલ્લા હટાવાય હતા.
કલેક્‍ટરના આદેશ બાદ પાલિકા એક્રોચમેન્‍ટ અધિકારી મહેશભાઈ ચૌહાણ અને પાલિકા સ્‍ટાફે ટ્રેક્‍ટરો, મજુરો સાથે રોડ ઉપરના અડચણરૂપ લારીગલ્લા શહેરના મોટાભાગના રોડ ઉપરથી હટાવાયા હતા. ક્‍યાંક લારીગલ્લા વાળાનો વિરોધ જોવા મળ્‍યો હતો પરંતુ પાલિકાએ કોઈપણ ફરિયાદ કે રજૂઆત ધ્‍યાને લીધા સિવાય શહેરને લારીગલ્લા મુક્‍ત કર્યું હતું. લોકોના દબાણ કે રજૂઆત બાદ અવારનવાર થતી આ કામગીરીના બે-ચાર દિવસ બાદ ફરી લારીગલ્લા પાલિકા સ્‍ટાફની રહેમનજર હેઠળ કાર્યરત થઈ જતા હોય નવું દબાણ થાય ત્‍યારે પાલિકા આંખ આડા કાન કરતી રહે છે. પરિણામે વલસાડનીટ્રાફિક સમસ્‍યા નિરંતર પેચીદી બનતી રહે છે.

Related posts

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર અથાલ નજીક ઈકો કારને નડેલો અકસ્‍માત

vartmanpravah

વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં વિશ્વ માનસિક આરોગ્‍ય માસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાયક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘પર્યાવરણ જાગૃતિ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને વાલીઓ માટે વિવિધ સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

ધરમપુર રાજમહેલ રોડ ઉપર બે વીજપોલ ધરાશાયી: બે પૈકી એક કેરી ભરી જતી રિક્ષા ઉપર તૂટી પડયો

vartmanpravah

Leave a Comment