October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલીના સાદકપોરમાં ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વિવાદ બાદ પોલીસે બીજા પક્ષની ફરિયાદ લઈપિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધ્‍યો

ફાઈનલ મેચમાં જીતી ગયા વાદ સોશિયલ મીડિયામાં મુકાયેલા સ્‍ટેટ્‍સથી વિવાદ થયા બાદ સામ સામે લેખિત ફરિયાદ થઈ હતી : પોલીસે શરૂઆતમાં માત્ર એક પક્ષની ફરિયાદમાં જ ગુનો નોંધ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.07: ફરિયાદી અંકુર લલ્લુભાઈ પટેલ (રહે.સાદકપોર નાની કોળીવાડ તા.ચીખલી) ના ફળિયાની કોળીવાડ અને પહાડ ફળીયા વચ્‍ચે 12-મે-2024 ના રોજ મેચ રમાઈ હતી. જેમાં પહાડ ફળિયાની ટીમ વિજેતા થતા આ ટીમના 17-વર્ષીય સગીરે સોશ્‍યલ મીડિયાના વોટ્‍સએપ, ફેસબુક તથા ઈન્‍સ્‍ટાગ્રામ ઉપર કોળીવાડ ફળીયાના છોકરાઓને મનદુઃખ થાય તેવું સ્‍ટેટ્‍સ મુકતા તે બાબતે આ સગીર યુવકને ફોન કરતા તેણે પહાડ ફળીયા અશોક રણછોડભાઈ કણબી પટેલને ત્‍યાં છું તમે ત્‍યાં આવો તેમ કહેતા ત્‍યાં પહોંચી દિવ્‍યેશભાઈ સગીરે મુકેલ વિડીયો અશોકભાઈને બતાવતો હતો. તે સમયે તેનો દીકરો અંકિત અને બાદમાં અશોકભાઈ, સગીર યુવક ત્રણેય ભેગા મળીને ગાળા ગાળી, મારા-મારી કરી ઢીક્કા-મુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવા મુજબની ફરિયાદમાં પોલીસે અશોક રણછોડભાઇ કણબી પટેલ, અંકિત અશોકભાઈ કણબી પટેલ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ 17-વર્ષીય સગીર(તમામ રહે.સાદકપોર પહાડ ફળીયા તા.ચીખલી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉપરોક્‍ત બનાવમાં સામ સામા પક્ષે પોલીસ મથકમાં લેખિત ફરિયાદ અપાઈ હતી. જેમાં સમાધાન થઈ ગયા બાદ એક પક્ષની ફરિયાદની રજૂઆતમાં પોલીસે ગુનો નોંધ્‍યો હતો. પરંતુ સામા પક્ષ દ્વારા રજૂઆત છતાં પોલીસે ગુનો નોંધવામાં રસ દાખવ્‍યો ન હતો. અને સતાધારી પક્ષના નેતાઓની લાંબી મથામણ બાદ પોલીસે બીજા પક્ષ સામે પણ ગુનો નોંધ્‍યો હતો. સતાધારી ભાજપ પક્ષના નેતાઓને ગુનો નોંધાવવા માટે હંફાવવાની પોલીસની નીતિરિતી ચર્ચાનો વિષય બનવા પામ્‍યો હતો.

Related posts

ઉમરગામમાં એસીબીની લગાતાર બીજી સફળ ટ્રેપ

vartmanpravah

ટૂકવાડા ગામે ખેતરમાં કામે જવા નિકળેલી મહિલાનો મૃતદેહ કુવામાંથી મળ્‍યો

vartmanpravah

દાનહમાં ઐતિહાસિક ક્રિકેટ મેચનું સફળતાપૂર્વક સમાપન: મહિલા ક્રિકેટ ડે-નાઇટ સ્‍પર્ધામાં દમણ કેપિટલ ચેમ્‍પિયન

vartmanpravah

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

vartmanpravah

આહવા વઘઈ શિવઘાટના વળાંક પાસે જૂનિયર ક્‍લાર્કના પરીક્ષાર્થીઓને નડયો અકસ્‍માત

vartmanpravah

જરીમરી માતા અને નીલકંઠ મહાદેવ ભક્‍ત મંડળ દ્વારા આજથી શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન દેવુભાઈ જોષીના સાંનિધ્‍યમાં દર્શનભાઈ જોશી ભક્‍તોને કથાનું રસપાન કરાવશે

vartmanpravah

Leave a Comment