March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલ સલવાવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સંચાલિત ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલ, સલવાવ ખાતે નવા શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે શાળાની માહિતી, નિયમો અને અભ્‍યાસક્રમ સહિત શાળામાં સકારાત્‍મક માહોલ પ્રત્‍યે અભિમુખતા કેળવાય એ હેતુથી 15 જૂન 2024નાં રોજ એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ કાર્યક્રમની શરૂઆત સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજીના આશીર્વાદ અને રામ સ્‍વામીના પ્રેરણાત્‍મક પ્રવચન થી થઈ હતી. ત્‍યારબાદ શાળાના આચાર્ય શ્રીમતિ રીનાબેન દેસાઈ દ્વારા શાળાના માળખા થી વાલીઓ ને અવગત કરાવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા શાળાનાં નવા વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધતા શાળાના આચાર્ય શ્રીમતિ રીનાબેન દેસાઈ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્‍સાહિત કરી વિદ્યાર્થીઓની આશૈક્ષણિક સફરમાં માતા-પિતાની શું ભૂમિકા હોય છે અને વિદ્યાર્થીઓનાં અભ્‍યાસમાં માતા-પિતાનો સહયોગ અને માર્ગદર્શન કેટલુ જરૂરી છે એ વિશે જરૂરી સૂચનો આપ્‍યા હતાં.
વિદ્યાર્થીઓના આગામી શૈક્ષણિક વર્ષ 2004-25માં નવી શિક્ષણ નીતિ 2020 તથા શાળાના નિયમો વિશે વિદ્યાર્થીઓ અને વાલીઓને મહત્‍વની માહિતી આપી હતી. તેમજ માતા-પિતાના સાથ સહકાર સાથે વિદ્યાર્થીઓના સારા પરિણામ માટે વાલીઓને આશ્વસન આપ્‍યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેનાર તમામ જાગૃત વાલીઓનો મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પુરાણી કપિલ સ્‍વામીજી, રામ સ્‍વામીજી તથા શાળાના આચાર્ય રીનાબેન દેસાઈએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 12 સાયન્‍સનું 99 ટકા અને કોમર્સનું 97.2 ટકા પરિણામ આવ્‍યું

vartmanpravah

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

વાપી ઉદ્યોગનગર પોલીસે હાઈવે ઉપરથી લાખોનો ગુટખાનો જથ્‍થો ભરેલ કન્‍ટેનર ઝડપી પાડયું : બે દિવસ પહેલાં કરવડમાં પણ 98 લાખનો ગુટખાનો જથ્‍થો ઝડપાયો હતો

vartmanpravah

વલસાડમાં વધુ એક પરિણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર

vartmanpravah

ચીખલી વન વિભાગના સ્‍ટાફે જોગવાડ ગામેથી ખેરના લાકડાનો ગેરકાયદેસર જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

ખેરગામ તાલુકામાં રૂા.1025લાખના ખર્ચે રસ્‍તાઓ અને મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

Leave a Comment