July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

સુરત, નવસારી, વડોદરા જેવા શહેરમાં મૂર્તિની ઊંચાઈ અંગે કોઈ ગાઈડલાઈન નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: હજુ તો ગણેશ મહોત્‍સવની વાર છે. પરંતુ ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્‍સવની ઉજવણી અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન જિલ્લા કલેક્‍ટર મેજીસ્‍ટ્રેટ દ્વારા ગણેશ પ્રતિમાની ઊંચાઈ 9 ફૂટથી વધારે રાખી શકાશે નહીં તેવું જાહેરનામું બહાર પાડવામાં આવતા વલસાડના વિવિધ ગણેશમંડળો દ્વારા વિરોધનો સુર શરૂ થયો હતો.
વલસાડ પાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ મરચા અને વિવિધ ગણેશ મંડળના આગેવાનોની એક મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી ગણેશ મહોત્‍સવમાં 9 ફૂટ ઊંચાઈની મર્યાદામાં ગણેશ મૂર્તિઓ રાખવી તેવા જાહેરનામાનો વિરોધ કરવામાં આવ્‍યો હતો. આયોજકોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, સુરત, નવસારી, વડોદરા જેવા શહેરમાં મૂર્તિની ઊંચાઈ અંગે કોઈ વિરોધ નથી તો વલસાડમાં કેમ મિટિંગમાં ગણેશની મૂર્તિઓ ઈકો ફ્રેન્‍ડલી રાખવા સહિત વિસર્જન અંગેની ચર્ચા-વિચારણા થઈ હતી.

Related posts

ધરમપુરના વિલ્‍સન લેડી મ્‍યુઝિયમના 14 કર્મચારીઓને 6 દિવસથી ફરજ ઉપર હાજર ના થવા દેવાતા ગેટ બહાર દેખાવો

vartmanpravah

રખોલી પુલ પરથી યુવાને નદીમા ઝંપલાવતા મોત

vartmanpravah

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

vartmanpravah

દમણમાં પાંચ ગુંઠા સુધીની જમીનમાં પોતાનું ઘર બનાવવા પ્‍લાન પાસ કરવામાંથી આપેલી મુક્‍તિ બદલ દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનો માનેલો આભાર

vartmanpravah

વન વિભાગની તાનાશાહી : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લીખવડ ગામમાં આદિવાસીના 60 આંબાના ઝાડ કાપી નાખતા ભારે રોષ

vartmanpravah

શ્રી સુધીર ફડકે પાસે એક લાઈટ મશીનગન હતી જે છુપાવવા મટે તેમણે વાયોલીન રાખવાની ફીડલનો ઉપયોગ કર્યો હતો, છતાં તેની ગમે ત્‍યાં તપાસ થઈ શકે એવો ભય તો માથે રહેતો જ

vartmanpravah

Leave a Comment