October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

સુરત, નવસારી, વડોદરા જેવા શહેરમાં મૂર્તિની ઊંચાઈ અંગે કોઈ ગાઈડલાઈન નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: હજુ તો ગણેશ મહોત્‍સવની વાર છે. પરંતુ ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્‍સવની ઉજવણી અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન જિલ્લા કલેક્‍ટર મેજીસ્‍ટ્રેટ દ્વારા ગણેશ પ્રતિમાની ઊંચાઈ 9 ફૂટથી વધારે રાખી શકાશે નહીં તેવું જાહેરનામું બહાર પાડવામાં આવતા વલસાડના વિવિધ ગણેશમંડળો દ્વારા વિરોધનો સુર શરૂ થયો હતો.
વલસાડ પાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ મરચા અને વિવિધ ગણેશ મંડળના આગેવાનોની એક મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી ગણેશ મહોત્‍સવમાં 9 ફૂટ ઊંચાઈની મર્યાદામાં ગણેશ મૂર્તિઓ રાખવી તેવા જાહેરનામાનો વિરોધ કરવામાં આવ્‍યો હતો. આયોજકોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, સુરત, નવસારી, વડોદરા જેવા શહેરમાં મૂર્તિની ઊંચાઈ અંગે કોઈ વિરોધ નથી તો વલસાડમાં કેમ મિટિંગમાં ગણેશની મૂર્તિઓ ઈકો ફ્રેન્‍ડલી રાખવા સહિત વિસર્જન અંગેની ચર્ચા-વિચારણા થઈ હતી.

Related posts

છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્‍યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા

vartmanpravah

વિધાનસભા સામાન્‍ય ચૂંટણીના નિરીક્ષણ અર્થે નવસારી જિલ્લામાં ઓબ્‍ઝર્વરોની નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

ભારતીય સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની 16મી રાષ્‍ટ્રીય સભા તમિલનાડુમાં યોજાઈ

vartmanpravah

એસઆઈએની ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ : સિનિયર મેમ્‍બરોએ બિન હરીફ પરિણામ લાવવા ચાલુ કરેલા પ્રયાસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

પારડી તાલુકા પંચાયતના માજી પ્રમુખ એવા મિતલબેન પટેલનું સભ્‍ય પદેથી રાજીનામું

vartmanpravah

Leave a Comment