March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

સુરત, નવસારી, વડોદરા જેવા શહેરમાં મૂર્તિની ઊંચાઈ અંગે કોઈ ગાઈડલાઈન નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: હજુ તો ગણેશ મહોત્‍સવની વાર છે. પરંતુ ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્‍સવની ઉજવણી અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન જિલ્લા કલેક્‍ટર મેજીસ્‍ટ્રેટ દ્વારા ગણેશ પ્રતિમાની ઊંચાઈ 9 ફૂટથી વધારે રાખી શકાશે નહીં તેવું જાહેરનામું બહાર પાડવામાં આવતા વલસાડના વિવિધ ગણેશમંડળો દ્વારા વિરોધનો સુર શરૂ થયો હતો.
વલસાડ પાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ મરચા અને વિવિધ ગણેશ મંડળના આગેવાનોની એક મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી ગણેશ મહોત્‍સવમાં 9 ફૂટ ઊંચાઈની મર્યાદામાં ગણેશ મૂર્તિઓ રાખવી તેવા જાહેરનામાનો વિરોધ કરવામાં આવ્‍યો હતો. આયોજકોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, સુરત, નવસારી, વડોદરા જેવા શહેરમાં મૂર્તિની ઊંચાઈ અંગે કોઈ વિરોધ નથી તો વલસાડમાં કેમ મિટિંગમાં ગણેશની મૂર્તિઓ ઈકો ફ્રેન્‍ડલી રાખવા સહિત વિસર્જન અંગેની ચર્ચા-વિચારણા થઈ હતી.

Related posts

વાપી પાલિકા દ્વારા ફાયર સિસ્‍ટમ ચેકિંગ અભિયાન બીયુ પરમીશન ન હોવાથી 5 ખાનગી સ્‍કૂલ સીલ કરી

vartmanpravah

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

vartmanpravah

મોદી સરકારના શાસનમાં દાનહ અને દમણ-દીવમાં ચૂંટાયેલા સાંસદો અને લોક પ્રતિનિધિઓની કલ્‍પનાની બહારનો થયેલો વિકાસ

vartmanpravah

માર્ચ એન્‍ડીંગ પહેલાં વાપી નગરપાલિકા વેરા વસુલાત માટે મેદાનો : 8 દુકાન અને 2 એકમના નળ જોડાણ કાપી સીલ

vartmanpravah

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.25: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને દમણ ખાતે આવકારવા માટે મારવાડી સમાજે રાજસ્‍થાનના કલાકારોને પરંપરાગત નૃત્‍યો કાલબેલિયા, ઘૂમર અને ભાણવઈની શાનદાર પ્રસ્‍તુતિ કરી હતી. આ પ્રસંગે રંગારંગ પ્રસ્‍તુતિ આપી પ્રધાનમંત્રીશ્રીના શાનદાર સ્‍વાગત સાથે ઉપસ્‍થિત તમામને રોમાંચિત કરી દીધાં હતા. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના રોડ શોમાં કલાકાર શ્રી સુનીલ પરિહારની ટીમે રંગારંગ પ્રેઝન્‍ટેશન આપીને રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની રાહ જોઈ રહેલા લોકોનું ધ્‍યાન આકર્ષિત કર્યું હતું.

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે લોક કલ્‍યાણ અને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લેતાં કામ કરવાની પોતાની આગવી શૈલીના કરાવેલા દર્શન

vartmanpravah

Leave a Comment