December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાવાગઢમાં જૈન મૂર્તિઓ સાથે થયેલી છેડછાડના વિરોધમાં વલસાડ સમસ્‍ત જૈન સંઘોએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: પાવાગઢ યાત્રાધામમાં આવેલ જૈન દેરાસરમાં ભગવાનની પ્રતિમાઓ ખંડિત કરી અસ્‍ત-વ્‍યસ્‍ત કરવાની બનેલી ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત અને રોષ ગુજરાતભરના જૈન સમાજમાં પ્રસરી જવા પામ્‍યો હતો. એ અનુસંધાનમાં આજે વલસાડમાં શ્રી સમસ્‍ત જૈન સમાજ દ્વારામહારાજ સાહેબ ગુરુ ભગવંતોની આગેવાનીમાં જૈન અગ્રણીઓ વલસાડ કલેક્‍ટરમાં આવેદનપત્ર પાઠવી કૃત્‍યને વખોડી કાઢવા સાથે પોતાનો રોષ જણાવ્‍યો હતો.
પાવાગઢમાં જૈન મૂર્તિઓની તોડફોડ અને છિન્ન ભિન્ન કરવાની ઘટેલી ઘૃણાસ્‍પદ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતના જૈન સમાજમાં પડયા છે. તે અંતર્ગત વલસાડમાં આજે રામવાડી દેરાસરથી સમસ્‍ત જૈન સમાજના અગ્રણીઓ મહારાજ સાહેબની આગેવાનીમાં ચાલતા ચાલતા કલેક્‍ટર કચેરી પહોંચ્‍યા હતા. જ્‍યાં કલેક્‍ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને પાવાગઢની ઘટનાને વખોડી કાઢી વિરોધ કર્યો હતો. આ પ્રસંગે મહારાજ સાહેબે જણાવ્‍યું હતું કે, સમાજના દરેક ધર્મ સંપ્રદાયએ એકબીજાને શ્રધ્‍ધા ભક્‍તિનું સન્‍માન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ પાલીતાણામાં માંસાહાર અંગે વિવાદ થયો હતો. જો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે જૈન હોવાથી મામલાની ગંભીરતાની નોંધ લઈ પાવાગઢમાં મૂર્તિઓને યથાવત પ્રસ્‍થાપિત કરાવી છે. જૈન સમાજના યાત્રાધામ પાવાગઢ હોય કે પાલીતાણામાં ક્‍યારેક જે ઘટના નિંદનીય છે.

Related posts

દાદરાની હોટલ એક્‍સેલેન્‍સીમાં માલિકની હાજરીમાં વેઈટરોએ એક ગ્રાહકને માર મારવાની બનેલી ઘટના

vartmanpravah

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah

નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ 304 નિરંકારી ભક્‍તોએ ભિલાડમાં કર્યું રક્‍તદાન

vartmanpravah

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

vartmanpravah

દાનહની આલોક પબ્‍લિક સ્‍કૂલનું સરાહનીય પગલું: સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

Leave a Comment