October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : આજે દાદરા નગર હવેલીની બેઠક ઉપરથી વિજેતા બનેલા સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરે લોકસભામાં સાંસદ પદના શપથ લીધા હતા. શ્રીમતી કલાબેન ડેલકરની સાંસદ તરીકેની આ બીજી ટર્મ છે.
નવેમ્‍બર, 2021માં દાદરા નગર હવેલી લોકસભાની બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં શ્રીમતી કલાબેન ડેલકરે શિવસેના તરફથી દાવેદારી કરી ઝળહળતો વિજય મેળવ્‍યો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં શિવસેના સાથે છેડો ફાડી શ્રીમતી કલાબેન ડેલકરે ભાજપના બેનર હેઠળ દાદરા નગર હવેલી બેઠક ઉપરથી વિજયી થઈ લોકસભામાં પ્રવેશ કર્યો છે.
શ્રીમતી કલાબેન ડેલકરે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ત્રીજો કાર્યકાળ 140 કરોડ દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોથી સભર બન્‍યો છે ત્‍યારે તેમની પરિપૂર્તિમાં સહભાગીતા કરવા હંમેશા કટિબધ્‍ધ રહેવાનો સંકલ્‍પ પણ પ્રગટ કર્યો છે.

Related posts

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

આજે વલસાડમાં જિલ્લા કક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્‍યક્ષતામાં ધરમપુર ખાતે થશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

vartmanpravah

વલસાડમાં હાઈવે પર પસાર થતા ટ્રાન્‍સપોર્ટના વાહન ચાલકો માટે નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ પાર નદી નાના-મોટા ડેમ વચ્‍ચે બે દિવસથી ફસાયેલ માછીમારનું રેસ્‍ક્‍યું કરાયું

vartmanpravah

Leave a Comment