March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : આજે દાદરા નગર હવેલીની બેઠક ઉપરથી વિજેતા બનેલા સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરે લોકસભામાં સાંસદ પદના શપથ લીધા હતા. શ્રીમતી કલાબેન ડેલકરની સાંસદ તરીકેની આ બીજી ટર્મ છે.
નવેમ્‍બર, 2021માં દાદરા નગર હવેલી લોકસભાની બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં શ્રીમતી કલાબેન ડેલકરે શિવસેના તરફથી દાવેદારી કરી ઝળહળતો વિજય મેળવ્‍યો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં શિવસેના સાથે છેડો ફાડી શ્રીમતી કલાબેન ડેલકરે ભાજપના બેનર હેઠળ દાદરા નગર હવેલી બેઠક ઉપરથી વિજયી થઈ લોકસભામાં પ્રવેશ કર્યો છે.
શ્રીમતી કલાબેન ડેલકરે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ત્રીજો કાર્યકાળ 140 કરોડ દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોથી સભર બન્‍યો છે ત્‍યારે તેમની પરિપૂર્તિમાં સહભાગીતા કરવા હંમેશા કટિબધ્‍ધ રહેવાનો સંકલ્‍પ પણ પ્રગટ કર્યો છે.

Related posts

વલસાડની કસ્‍તુરબા અને ધરમપુરની રાજચંદ્ર હોસ્‍પિટલને હેલ્‍થકેર કોન્‍કલેવ 2024માં એવોર્ડ એનાયત

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસે અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોના માનસિક સામાજિક અને આર્થિક પુનર્વસન માટે સરકાર દ્વારા વિશેષ સહાયક યોજનાલાગુ કરવા પ્રગટ કરેલો મત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ)માં મહેંદી સ્‍પર્ધા અને કેશગૂંફનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

અતુલ સ્‍મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્‍કાર કરનારનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું

vartmanpravah

Leave a Comment