April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના કુકેરી ગામે સુરખાઈ-અનાવલ માર્ગ ઉપર સવારે સાડા છ વાગ્‍યાની આસપાસ એક મહાકાય વૃક્ષ ધરાશયી બાદ થોડા સમયના અંતરે બીજા બે વૃક્ષો ધરાશયી થતા માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થઈ જવા પામ્‍યો હતો. સામાજિક વનીકરણ અને માર્ગ મકાનના બેદરકારી ભર્યા કારભાર વચ્‍ચે બનાવના આઠ કલાકે પણ વૃક્ષો માર્ગ પરથી ન ખસેડાતા વાહન વ્‍યવહાર પૂર્વવત થયો ન હતો. આ સ્‍થળે હનુમાનજીના મંદિર પાસે વળાંકમાં ઝાડો જુના અને મોટા હોવા સાથે અવાર નવાર અકસ્‍માતો સર્જાતા હોવાથી આ વૃક્ષો દૂર કરવા માટે સ્‍થાનિક હિતેશભાઈ દરબાર દ્વારા સામાજિક વનીકરણમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. આજે વૃક્ષો ધરાશયી થતા તેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ? આ બનાવ બાદ પણ સામાજિક વનીકરણના જવાબદારોની આંખ ઉધડશે ખરી કે તે જોવું રહ્યું.

Related posts

માંડાની રીષિકા પેકેજીંગ કંપનીમાં ભિષણ આગ

vartmanpravah

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

vartmanpravah

સેલવાસમાં બાઈકનું હેન્‍ડલ લાગવાને કારણે રાહદારીનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાંમાં અસરગ્રસ્ત બનેલા દાનહના ગામડાઓના પરિવારોના વ્હારે આવી આરતી ઇન્ડસ્ટ્રીઝઃ સિમેન્ટના પતરાનું કર્યું વિતરણ

vartmanpravah

વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા જીવદયા કાર્ય હેતુ ઉત્તરાયણ પર્વે 3 હજાર લાડુ શ્વાન માટે બનાવ્‍યા

vartmanpravah

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

Leave a Comment