October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ કેમિકલ ઝોનમાં કેમિકલ યુક્‍ત વહેતા પાણીના જીપીસીબીએ એકત્રિત કરેલા નમૂના : ફેરેસ સલ્‍ફેટ બનાવતી કંપની શંકાના દાયરામાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: સરીગામ જીઆઇડીસીમાંથી પસાર થતી ટોકર ખાડીના ઉપરના ભાગે વંકાસ ખાતે ખાડીમાંથી અસંખ્‍ય મૃત માછલીઓ મરી જવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી હતી. અને બીજી ઘટના સરીગામ જીઆઇડીસીમાંથી પસાર થતી નહેરમાં કેમિકલ યુક્‍ત પાણીનું વહેણ જોવા મળ્‍યું હતું. નહેરનું પાણી ઉપરના ગામડાઓના ખેતરમાં ફરી વળતા ખેડૂતોમાં વ્‍યાપક ફરિયાદ ઊઠવા પામી હતી. આ પ્રકારની ઘટના દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં ઘટવા પામે છે જે ઘટનાઓ ઉપર અંકુશ મુકવામાં જવાબદાર વિભાગના પ્રયાસો સફળ થવા પામ્‍યા નથી.
બે દિવસ પહેલા સરીગામ જીઆઇડીસી કેમિકલ ઝોનમાં રોડ નંબર 32 પર કાર્યરત સિયારા ઈન્‍ડસ્‍ટ્રીઝ કંપનીમાંથી વરસાદી પાણીના વહેણ સાથે કેમિકલ યુક્‍ત કલરવાળું પાણી પસાર થઈ રહ્યું હોવાની મળેલી ફરિયાદને આધારે જીપીસીબીએ સ્‍થળ નિરીક્ષણ કરી નમૂના એકત્રિત કર્યા હતા. અને એકત્રિત કરેલા નમૂના કેમિકલ યુક્‍ત જણાતા એનાલિસિસ માટે વાપી લેબોટરીમાં મોકલવામાં આવ્‍યા છે જેનોરિપોર્ટ હજુ સુધી પ્રાપ્ત થયું નથી જેથી દોષિત જણાતી કંપની સામે આવવા પામી નથી. સરીગામ કેમિકલ ઝોન રોડ નંબર 32 ઉપર ત્રણ કંપની કાર્યરત છે. શિયારા ઈન્‍ડસ્‍ટ્રીઝ, ઉદિત કેમિકલ અને ઉમિયા ઈન્‍ડસ્‍ટ્રીઝનો સમાવેશ થાય છે. પ્રાથમિક તારણ જોતા એક કંપનીનું પ્રોડક્‍શન જીરો ડિસ્‍ચાર્જ છે અર્થાત એ કંપનીનું પાણી નહીં હોવાનું જણાઈ રહ્યું છે જ્‍યારે બીજી કંપની ઉદ્દીત કેમિકલ ક્‍લોઝરનો સામનો કરી રહી છે. જ્‍યારે ઉમિયા ઈન્‍ડસ્‍ટ્રીઝ ફેરેસ સલ્‍ફેટનું ઉત્‍પાદન કરે છે જેની પ્રક્રિયા દરમિયાન કેમિકલ મિશ્રણના છાંટાઓ કંપનીમાં ઉડતા હોવાનું નકારી શકાતું નથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. પરંતુ એકત્રિત કરેલા નમૂનાનો રિપોર્ટ આવ્‍યા બાદ જ સત્‍યતા બહાર આવશે. આ ઘટનામાં જીપીસીબીના અધિકારી એમની કાર્યશૈલી મુજબ તટસ્‍થ રાહે પગલા ભરશે એમાં બે મત નથી.

Related posts

વલસાડ જિલ્લાની 800 ઉપરાંત બોટ હવામાન વિભાગની આગાહી બાદ જખૌ તથા મહારાષ્‍ટ્રના બંદરોએ લાંગરી દેવાઈ

vartmanpravah

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગણદેવી નગરપાલિકા ખાતે રૂા.42.43 લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેનું આજે લોકાર્પણ

vartmanpravah

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.13મીએ યોજાનારી બિન સચિવાલય ક્‍લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્‍ટન્‍ટની પરીક્ષામાં 16314 ઉમેદવારો પરીક્ષા આપશે

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment