January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામના એકમોને હોનારત સમયે રક્ષણ પૂરું પાડવા એસઆઈએની ટીમે સ્‍ટેટમાં કાર્યરત મોટા એકમો વચ્‍ચે મ્‍યુચ્‍યુઅલ એડ એગ્રીમેન્‍ટ અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાનિંગ માટે બોલાવેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.30: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત એકમોમાં સર્જાતી ગેસ ગળતર તેમજ આગ લાગવાની ઘટના સમયે ભોગ બનનાર કંપનીઓને મોટું આર્થિક નુકસાન તેમજ કેટલીક ઘટનાઓમાં જાનહાની અને ગંભીર ઈજાઓ જેવી ઘટનાઓ બનવા પામે છે. ખાસ કરીને મોટી હોનારતમાં એકમોમાંસલામતીના સાધનોની પૂરતી વ્‍યવસ્‍થાનો અભાવ તેમજ સલામતી અંગે કામદારોમાં અજ્ઞાનતા અને સરકારી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની બચાવ કામગીરીની વિલંબતા કારણભૂત બનતી હોય છે. આવા સમયે સ્‍ટેટમાં કાર્યરત મોટા એકમોએ સ્‍થાપિત કરેલી સુરક્ષા કવચ માટેની સાધન સામગ્રી નાના એકમો તેમજ મોટા એકમો એકબીજાને મદદરૂપ બની મોટી હોનારતમાંથી રક્ષણ મેળવી શકાય છે. જેના માટે એસઆઈએના સભાખંડમાં સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત 17 જેટલા મોટા એકમોના સેફટી ઓફિસરો સાથે એસઆઈએની ટીમે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં મ્‍યુચ્‍યુઅલ એડ એગ્રીમેન્‍ટ અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાનિંગ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દરેક કંપનીના સેફટી ઓફિસરોએ એમના અનુભવ મુજબ ગેસ ગળતર તેમજ આગ જેવી ઘટનાના સમયે ઘટનાને અનુરૂપ કેવા પ્રકારની સામગ્રી ઉપયોગ કરવી જેથી કાબૂ મેળવવામાં સરળતા રહે એના ઉપર પ્રકાશ પાડયો હતો. આમ દરેક કંપનીઓની બેઝિક માહિતી એકત્રિત કરી મદદરૂપ થવા માટે સંગઠિત થતા જોવા મળ્‍યા હતા. આ કામગીરીમાં સરળતા અને વહીવટી ક્ષેત્રે કોઈ અડચણ ન આવે એ માટે એસઆઈએની ટીમ સફળ પ્રયાસ કરી રહી છે. આવનારા સમયમાં નાના એકમોના કામદારોને સેફટી વિશે માર્ગદર્શન પૂરુંપાડવા શિબિરનું આયોજન કરવાનું પણ નક્કી કર્યું છે.
આ બેઠકમાં એસઆઈએના પ્રમુખશ્રી નિર્મલભાઈ દુધાની, સેક્રેટરીશ્રી કૌશિકભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ વાસવાની, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી આનંદભાઈ પટેલ, ટ્રેઝરર શ્રી દામોદરભાઈ પારીખ વરિષ્ઠ સભ્‍ય શ્રી આર.કે સિંહ શ્રી શિવ પ્રકાશ સિંગ તેમજ કોરમંડલ કંપનીના ઓફિસર શ્રી જવલભાઈ પટેલ, શ્રી નરેશભાઈ પટેલ શ્રી હાર્દિકભાઈ ત્રિવેદી વગેરેની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.

Related posts

વાપી સેસન્‍સ કોર્ટએ ઉદવાડાના લાંચીયા તલાટીને 3 વર્ષની કેદ અને રૂા.20 હજારનો દંડનો ચુકાદો આપ્‍યો

vartmanpravah

વિદેશ જનારા નાગરિકોને કોવિડ – ૧૯ ૨સીનો બુસ્‍ટર ડોઝ મળી શકશે

vartmanpravah

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગણપતિની ૯ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ: પી.ઓ.પી.ની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું

vartmanpravah

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah

Leave a Comment