March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભામાં ધારાસભ્‍ય પાટકરની સરમુખત્‍યારશાહી નીતિથી ભાજપના સભ્‍યોની હાલત દયનીય

તાલુકામાં થયેલો વ્‍યાપક ભ્રષ્ટાચારને ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને આવતા રોકવા માટે ધારાસભ્‍ય રમણભાઈ પાટકરે સભામાં ઉપસ્‍થિત સભ્‍યોને રજૂઆતની તક ન મળે એ રીતે માઈક પકડી લઈ સંચાલન કરી સભાને પૂર્ણ કરતા સભ્‍યોમાં ભારે નારાજગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લલીતાબેન દુમાડાના અધ્‍યક્ષતા હેઠળ આજરોજ મળેલી સામાન્‍ય સભા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે નિરાશાજનક સાબિત થવા પામી ભાજપ શાસિત ઉમરગામ તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષની હાજરી નહીવત છે તેમ છતાં પણ ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના મત વિસ્‍તારને સ્‍પર્શતી સમસ્‍યાને ન્‍યાય અપાવી શકતા નથી. તાલુકામાં સરકારી ગ્રાન્‍ટનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર થયેલો છે. જેમની સામે તપાસ હાથ ધરી દોષીતો સામે રાજ્‍યની ભુપેન્‍દ્ર પટેલની સરકાર ચોક્કસ પગલાં ભરશે એવી પ્રજામાં વિશ્વાસની લાગણી છેકારણ કે ઉમરગામ તાલુકાની પ્રજા આજે પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીને કેન્‍દ્રસ્‍થાને રાખીને મતદાન કરતી હોય છે. થોડા દિવસ પહેલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લલીતાબેન દુમાડા અને કારોબારી અધ્‍યક્ષ શ્રી મહેશભાઈ આહીર અને ઉપપ્રમુખ શ્રી વિલાસભાઈ ઠાકરીયાએ નજીકના ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચારને સરેઆમ ખુલ્લો પાડી ભાજપ સરકારનું ધ્‍યાન દોરવાનું પુણ્‍યનું કામ કર્યું હતું. જેથી આજરોજ મળનારી સભામાં ભ્રષ્ટાચારનો મુદ્દો કેન્‍દ્રસ્‍થાને રહેશે એવું આંકલન કરવામાં આવી રહ્યું હતું. પરંતુ તાલુકા પંચાયતના સભ્‍યોની મુરાદ મનમાં જ રહી જવા પામી હતી.
આજની સભામાં આરઓ પ્‍લાન્‍ટ તેમજ આંગણવાડી સહિતના  કામમાં થયેલા ભ્રષ્ટાચારને ઢાંકપિછાડો કરવામાં સફળતા મળ્‍યા બાદ એજન્‍ડા મુજબ સામાન્‍ય સભાની કામગીરી આગળ વધારતા ગત સભાને બહાલી આપવામાં આવી હતી તેમજ 15માં નાણાંપંચ તાલુકા કક્ષાનુ સને 2023-24 મંજૂર થયેલા કામોના બીજા હપ્તાની ગ્રાન્‍ટમાંથી કામોની પ્રાથમિકતા નક્કી કરવામાં  હતી. આ ઉપરાંત સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ગ્રાન્‍ટનાં આયોજનને બહાલી આપવામાં આવી હતી. સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ગ્રાન્‍ટ અને 15માં નાણાપંચના કામોની કરવામાં આવેલી ફેરબદલીને પણ બહાલી આપી કામો આગળ વધવાનું નક્કી કર્યું હતું. ગ્રામ પંચાયતો દ્વારાહાટ બજારની ઉઘરાણીના નાણા યોગ્‍ય રીતે ઉપયોગ કરતા નહીં હોવાનો ધારાસભ્‍ય શ્રી રમણભાઈએ આરોપ મૂકી આ નાણા તાલુકા પંચાયતના સ્‍વભંડોળમાં જમા કરાવવા સૂચન કર્યું હતું. આ મુદ્દે માંડા પંચાયતને કેન્‍દ્રસ્‍થાને રાખી હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. આજની સભાનું સંચાલન તાલુકા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પઢિયાર દ્વારા કરવામાં આવ્‍યું હતું.
—-

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘‘સ્‍વનિધિ મહોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પિપરિયા પર હુમલો,  પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?

vartmanpravah

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.29 થી 31 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

ખાખી વર્દી હવે ‘લોકમિત્ર’ બનવા તરફ મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનનો નવતર અભિગમઃ લોકોની વચ્‍ચે જઈ લોકો સાથે સંવાદ કરી ગુનાની રોકથામ અને જાગૃતિ કેળવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

vartmanpravah

Leave a Comment