April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતદમણદેશવલસાડવાપીસેલવાસ

ઉમરગામ તાલુકાના મોહનગામના જયેશ હળપતિ ઉપર હૂમલોઃ ઉમરગામના કેટલાક બુટલેગર અને તેના સાગરિતો સામેલ

હૂમલાના મુખ્‍ય સુત્રધાર કિસ્‍મત હળપતિની કચીગામ-દમણ પોલીસે કરેલી અટકાયત

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: ઉમરગામ તાલુકાના મોહનગામ ખાતે રહેતા જયેશ હળપતિ ઉપર દમણના કચીગામ પાસે ઈકો અને સ્‍વીફટ કારમાં આવેલા કેટલાક બુટલેગર અને તેના સાથીઓએ કરેલા હૂમલામાં પોલીસે મુખ્‍ય સુત્રધાર એવા કિસ્‍મત ગણેશ હળપતિ(રહે. મોહનગામ-તાલુકો ઉમરગામ)ની અટકાયત કરી હોવાના સમાચાર મળ્‍યા છે અને હૂમલાખોરોની શોધ પોલીસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જયેશ હળપતિ સાથેની કોઈ જૂની અદાવતમાં હૂમલાના મુખ્‍ય સુત્રધાર કિસ્‍મત હળપતિએ પોતાના સાગરિતો સાથે ઢોર માર મારતાં જયેશને માથાના ભાગે ત્રણ જેટલા ટાંકા આવવા પામ્‍યા હતા અને શરીરના ભાગે પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. કચીગામ પોલીસ આ પ્રકરણમાં સત્તાવાર માહિતી આપવામાં સંકોચ કેમ રાખી રહી છે તે બાબતે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

Related posts

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

vartmanpravah

સમયમર્યાદામાં સામાન્‍ય લોકોની ફરિયાદના નિકાલ માટે દમણ જિલ્લા પ્રશાસન ફરિયાદ પ્રબંધન પધ્‍ધતિ બનાવશે

vartmanpravah

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

vartmanpravah

ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્‍સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

ધરમપુરના આંબોસી ભવઠાણ ગામમાં સંકલ્‍પ યાત્રા આવી પહોંચતા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરાયું

vartmanpravah

Leave a Comment