Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અગ્નિવીર ગૌ સેવા દર ઉમરગામ દ્વારા રાત્રિના સમયે રોડ ઉપર અકસ્‍માતનો ભોગ બની રહેલા ગૌવંશની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી રિફલેક્‍ટેડ પટ્ટા મારવાની ચાલુ કરેલી કામગીરી

સરીગામ, તા.05: ઉમરગામ તાલુકામાં રાત્રિ દરમિયાન વાહનોની અડફેટ આવી રહેલા ગૌવંશની ઘટના લગાતાર સામે આવી રહી છે. જે ઘટનાના પગલે જીવ દયા અને ગૌવંશ પ્રેમીઓમાં લાગણી દુબઈ રહી છે. રાત્રિના સમય દરમિયાન રોડ ઉપર બેસેલા ગૌવંશ વાહન ચાલકોની નજરે ન પડતા આ પ્રકારની ઘટના બનવા પામી રહી છે. જેના ઉપર અંકુશ મુકવા અગ્નીવિર ગૌ સેવા દલના પ્રમુખશ્રી યોગેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખશ્રી ઉમેશભાઈ રાજપુરોહિત, શ્રી કમલેશભાઈ પંડિત અને એમની ટીમે રસ્‍તા પર ઊભા રહેતા ઢોરોના ગળામાં રિફલેક્‍ટેડ પટ્ટાપહેરાવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી આજરોજ સાંજના 6 કલાકે શ્રી દામોદર યાર્ન કંપની બહાર કંપનીના જનરલ મેનેજર શ્રી રાજેશભાઈ ભાટિયાની હસ્‍તે પ્રારંભ કરવામાં આવી હતી. આ સમયે એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વલસાડના શ્રી બી. આર. બેરા, ભીલાડ પોલીસ મથકના પીએસઆઈ શ્રી આર. પી. ડોડિયા, ભાજપ સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી ઉપસ્‍થિત રહી અગ્નિ વીર ગૌસેવા સમિતિના સંચાલકોને સહાયરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

વાપી ગુંજન ઓવરબ્રિજ પાસે સાંઈ મેજીસ્‍ટીક બિલ્‍ડિંગની પાંચ દુકાનોના તાળા તૂટયા

vartmanpravah

દાનહમાં ડેલકર પરિવારનું 33 વર્ષ કરતા વધુનું શાસનઃ પારઝાઈપાડાનો રસ્‍તો નથી બનાવી શક્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતનું દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે દમણ શહેરમાં યોજેલી તિરંગા યાત્રા

vartmanpravah

Leave a Comment