Vartman Pravah
Breaking NewsOtherગુજરાતદમણદેશવલસાડવાપીસેલવાસ

લવાછા રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવ ચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : વાપી-દાદરા નગર હવેલીના સીમાડાનું ગામ લવાછા સ્‍થિત રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ મહિનામાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અવસરે આજે શ્રી છોટુભાઈ નારણભાઇ પટેલના નિવાસસ્‍થાનેથી પોથી અને કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્‍યામાં પુરુષો, મહિલાઓ, બાળકીઓ, કથાકાર શ્રી દર્શનભાઈ સહિત ભાવિકભક્‍તો જોડાયા હતા. આ પોથીયાત્રાને કથા સ્‍થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથાનું રસપાન શ્રી દર્શનભાઈ દેવુભાઈ જોષી-ખેરગામવાળા કરાવશે. કથાનો સમય બપોરે બે વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા દરમ્‍યાનનો છે.
રુદ્રાક્ષ શિવલિંગ પર રુદ્રાભિષેકનો સમય સવારે 10:00 વાગ્‍યાથી બપોરે 12:00 વાગ્‍યાસુધીનો રહેશે. શિવકથાને 11ઓગસ્‍ટના રોજ વિરામ આપવામાં આવશે. રામેશ્વર મંદિર ટ્રસ્‍ટના સભ્‍યો દ્વારા આ શિવકથાનો લાભ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ વડાના હસ્‍તે ઉત્તરાયણ પૂર્વે વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરાયું

vartmanpravah

કપરાડામાં 108 એમ્‍બ્‍યુલન્‍સના ઈએમટી દ્વારા મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરાઈ

vartmanpravah

વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્‍તોએ ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ

vartmanpravah

બાકી વેરા ગ્રાહકો પર લાલ આંખ કરતી પારડી પાલિકા: વારંવાર નોટિસ આપ્‍યા બાદ વેરો ન ભરતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

Leave a Comment