October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતદમણદેશવલસાડવાપીસેલવાસ

લવાછા રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવ ચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : વાપી-દાદરા નગર હવેલીના સીમાડાનું ગામ લવાછા સ્‍થિત રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ મહિનામાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અવસરે આજે શ્રી છોટુભાઈ નારણભાઇ પટેલના નિવાસસ્‍થાનેથી પોથી અને કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્‍યામાં પુરુષો, મહિલાઓ, બાળકીઓ, કથાકાર શ્રી દર્શનભાઈ સહિત ભાવિકભક્‍તો જોડાયા હતા. આ પોથીયાત્રાને કથા સ્‍થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથાનું રસપાન શ્રી દર્શનભાઈ દેવુભાઈ જોષી-ખેરગામવાળા કરાવશે. કથાનો સમય બપોરે બે વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા દરમ્‍યાનનો છે.
રુદ્રાક્ષ શિવલિંગ પર રુદ્રાભિષેકનો સમય સવારે 10:00 વાગ્‍યાથી બપોરે 12:00 વાગ્‍યાસુધીનો રહેશે. શિવકથાને 11ઓગસ્‍ટના રોજ વિરામ આપવામાં આવશે. રામેશ્વર મંદિર ટ્રસ્‍ટના સભ્‍યો દ્વારા આ શિવકથાનો લાભ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

વાપી બલીઠાના યુવકને ટાઉન પોલીસમાં બોગસ ફોન કરવો ભારે પડયો

vartmanpravah

સમાજ માટે હમ સાથ સાથ હૈઃ બિરસા મુંડા જન્‍મ જયંતિની કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક સાથે ઉજવણી કરતા આદિવાસીઓમાં જોવા મળેલો ઉત્‍સાહ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે જિલ્લાના 515 એકમોમાં તપાસ હાથ ધરી

vartmanpravah

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસન ઊર્જા મંત્રાલયના આદેશનું પાલન કરશે : ટોરેન્‍ટ પાવરને ન્‍બ્‍ત્‍ સોંપવાની તૈયારી

vartmanpravah

Leave a Comment