October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતદમણદેશવલસાડવાપીસેલવાસ

લવાછા રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવ ચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : વાપી-દાદરા નગર હવેલીના સીમાડાનું ગામ લવાછા સ્‍થિત રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ મહિનામાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અવસરે આજે શ્રી છોટુભાઈ નારણભાઇ પટેલના નિવાસસ્‍થાનેથી પોથી અને કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્‍યામાં પુરુષો, મહિલાઓ, બાળકીઓ, કથાકાર શ્રી દર્શનભાઈ સહિત ભાવિકભક્‍તો જોડાયા હતા. આ પોથીયાત્રાને કથા સ્‍થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથાનું રસપાન શ્રી દર્શનભાઈ દેવુભાઈ જોષી-ખેરગામવાળા કરાવશે. કથાનો સમય બપોરે બે વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા દરમ્‍યાનનો છે.
રુદ્રાક્ષ શિવલિંગ પર રુદ્રાભિષેકનો સમય સવારે 10:00 વાગ્‍યાથી બપોરે 12:00 વાગ્‍યાસુધીનો રહેશે. શિવકથાને 11ઓગસ્‍ટના રોજ વિરામ આપવામાં આવશે. રામેશ્વર મંદિર ટ્રસ્‍ટના સભ્‍યો દ્વારા આ શિવકથાનો લાભ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

મગરવાડા ખાતે મોટી દમણની ચારેય ગ્રામપંચાયતો માટે યોજાયેલો ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ

vartmanpravah

તે સમયે દાનહના સત્તાધારી રાજકારણીઓએ થોડી શાણપણ વાપરી ખેડૂત માલિકોની ઉદ્યોગોમાં ભાગીદારી સુનિશ્ચિત કરી હોત તો આજે આદિવાસીઓની હાલતમાં જમીન-આસમાનનું અંતર આવ્‍યું હોત..!

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

પારડી હાઈવે બ્રિજ પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ રેલિંગમાં અથડાતા મોટો અકસ્‍માત થતાં બચ્‍યો

vartmanpravah

દાનહના કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment