Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જમીન દલાલો અને ભૂ-માફિયાઓ દ્વારા દાદરા નગર હવેલીના ગરીબ આદિવાસીઓના લેન્‍ડલેસ પ્‍લોટો પડાવી લેવા રચવામાં આવેલ કૌભાંડની તટસ્‍થ તપાસની ઉઠેલી ઉગ્ર માંગ

સમગ્ર જમીન કૌભાંડની તપાસ ઈ.ડી., સી.બી.આઈ. જેવી એજન્‍સીઓ દ્વારા કરાવવા શિવસેનાના પ્રદેશ પ્રમુખ સ્‍વેતલ ભટ્ટની જિલ્લા કલેક્‍ટરને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આદિવાસીઓના લેન્‍ડલેસ પ્‍લોટોમાં રચવામાં આવેલ કૌભાંડ સંદર્ભે તપાસ માટે પ્રદેશ શિવસેના દ્વારા જિલ્લા કલેક્‍ટરશ્રીને રજૂઆત કરી છે.
પ્રદેશ શિવસેનાએ કલેક્‍ટરશ્રીને કરેલી રજૂઆતમાં જણાવ્‍યા પ્રમાણે દાનહમાં કેટલાક વર્ષો પહેલા ગરીબ અને ભૂમિહીન આદિવાસીઓને પ્રશાસન દ્વારા દાહના ગરીબ અને અસહાય આદિવાસી પરિવાર ખેતી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરી શકે એ ઉદ્દેશ્‍યથી લેન્‍ડલેસ પ્‍લોટોની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ ભારત સરકારેઅમલમાં લાવેલી ટેક્‍સ હોલી ડે યોજનાના કારણે પ્રદેશમાં મોટાપાયે ઉદ્યોગોનું આગમન થવા લાગ્‍યું હતું. જેના કારણે ઔદ્યોગિક ક્રાંતિથી જમીનોની કિંમત ધીરે ધીરે વધવા લાગી. તેને જોઈ કેટલાક જમીન દલાલો/ભૂમાફિયાઓની મેલી નજર આ જમીનો ઉપર પડી અને જેના કારણે કેટલાક આદિવાસીઓના લેન્‍ડલેસ પ્‍લોટ વેચાઈ ગયા.
ભારત સરકાર દ્વારા જે ગરીબ ભૂમિહીન આદિવાસીઓના જીવન નિર્વાહ કરવા માટે જમીન મફત આપી હતી એને વેચી શકાય નહિ, છતાં પણ મોટી સંખ્‍યામાં આદિવાસીઓના લેન્‍ડલેસ પ્‍લોટ જે તે સમયના રાજસ્‍વ વિભાગના સંબંધિત અધિકારીઓના સહયોગ અને ભૂ-માફિયાઓની મીલીભગતથી વેચાઈ ચૂક્‍યા છે. કેટલાક કિસ્‍સાઓમાં લેન્‍ડલેસ પ્‍લોટ ખરીદવા માટે ભૂ-માફિયાઓએ કારસ્‍તાનો રચી પડોશી રાજ્‍યના કેટલાક ગામોમાં કાર્યરત મહેસૂલ વિભાગના કર્મચારીઓની મદદથી બીજા ખેડૂતોના નામે ચાલી રહેલ જમીનના કાગળો સાથે છેડછાડ કરાવી, બોગસ 7/12 મેન્‍યુલ બનાવી અને સ્‍થાનિક મહેસૂલ વિભાગમાં જમા કરાવ્‍યા હતા. પરંતુ હદ તો ત્‍યારે થઈ કે પડોશી રાજ્‍યમાં કોઈ જમીન ખરીદવામાં જ આવેલ નથી. ફક્‍ત કાગળ ઉપર જ જમીન બતાવવાનું કામ થયેલ. આવા કિસ્‍સામાં દાનહ અને પડોશી રાજ્‍યના સ્‍થાનીક પ્રશાસન સાથે પણ છેતરપિંડી કરવામાં આવેલ છે. આ કથિત રૂપે મોટા કૌભાંડને અંજામઆપવાનું કામ કરવામાં આવેલ છે. જેને ગંભીર રીતે સમજવાની જરૂર છે, કારણ કે જમીન ખરીદવા અને વેચવાના પ્રકરણમાં જમીન ખરીદનારની સાથે સાથે સૌથી મોટી જવાબદારી સંઘપ્રદેશના મહેસૂલ વિભાગના તત્‍કાલીન સંબંધિત અધિકારીઓની હોવી જોઈતી હતી. જે ભૂમિહીન આદિવાસીઓએ જમીન વેચી છે એના બતાવવામાં આવેલ સ્‍થળ ઉપર ખરેખર જમીન ખરીદેલ છે કે નહિ? એની પૂર્ણરૂપે તપાસ કરાવ્‍યા બાદ જ જમીન સંદર્ભે સેલ પરમિશન/દસ્‍તાવેજ સહીત કામકાજ કરવું જોઈતું હતું પરંતુ દુર્ભાગ્‍યવશ આ કિસ્‍સામાં આવું કંઈ જ કરેલ નહિ.
પ્રદેશમાં મોટું અને બદઈરાદાથી પાર પાડવામાં આવેલ લેન્‍ડલેસ પ્‍લોટના કૌભાંડમાં કેટલાક જમીનદારો અને ઉદ્યોગો સાથે જોડાયેલ વેપારીઓના નામો પણ હોવાનું શિવસેના દ્વારા કલેક્‍ટરશ્રીને કરેલી રજૂઆતમાં જણાવાયું છે. આ કૌભાંડની તપાસ માટે શિવસેનાના પ્રદેશ પ્રમુખ શ્રી સ્‍વેતલ ભટ્ટે ઈ.ડી., સી.બી.આઈ. જેવી એજન્‍સીઓ દ્વારા તટસ્‍થ અને યોગ્‍ય તપાસ કરાવવામાં આવે અને કૌભાંડમાં તમામ દોષિતોને કડકમાં કડક સજા મળે એવી માંગ બુલંદ કરી છે.

Related posts

વલસાડમાં ટીબીના દર્દીની સારવારમાં મદદરૂપ થતા નિક્ષય મિત્રોના સન્માન સાથે વિશ્વ ક્ષય દિવસ ઉજવાયો

vartmanpravah

ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્‍યોને સોંસરો પ્રશ્ન

vartmanpravah

દમણ જિલ્લાને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા પંચાયતો સક્રિયઃ દુકાનદારોને પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની આપેલી જાણકારી

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ‘વિશ્વ દિવ્‍યાંગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment